ભરૂચ : અમરકંટકથી નીકળેલ "સોર્સ ટુ સી કાયકિંગ"નું નર્મદા કિનારે થયું આગમન, સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરાયું સ્વાગત

New Update
ભરૂચ : અમરકંટકથી નીકળેલ "સોર્સ ટુ સી કાયકિંગ"નું નર્મદા કિનારે થયું આગમન, સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરાયું સ્વાગત

સંકલ્પ ફાઉન્ડેશન અને બોટ સ્કુલ ઓફ ભરૂચ દ્વારા ભારત દેશમાં સૌ પ્રથમવાર વડોદરાના નિષ્ણાંત દેવાંગ ખારોડની રાહબરી હેઠળ "ઉદગમથી અંત" સોર્સ ટુ સી કાયર્કિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 3 સાહસિકોએ મા નર્મદાના ઉદગમ સ્થળ અમરકંટકથી દરીયામાં વિલય સ્થળ દહેજ સુધી 35 દિવસમાં આશરે 13OO કિ.મી.નું અંતર કાયર્કિંગ દ્વારા કાપવામાં આવ્યું છે.

તા. 20મી ફેબ્રુઆરીના રોજ અમરકંટકથી મા નર્મદાના ચલમાં રહેલા કાળમીઠ પત્થરો, ખડકો, કોતરો અને ખુંખાર મગરોનું સાનિધ્ય માણતા નર્મદા મૈયાનો ખોળો ખુંદવા 3 સાહસવીરોની ટીમે પ્રયાણ શરૂ કર્યું હતું. આ અભિયાનનો એક માત્ર ઉદેશ્ય સ્વચ્છ ભારત મિશન, વિશ્વ શાંતિ અને ભાઇચારો તથા વોટર સ્પોર્ટસનો પ્રચાર-પ્રસાર કરવાનો હતો, ત્યારે સંકલ્પ ફાઉન્ડેશનના હોદ્દેદાર સંજય તલાટી અને ગૌતમ મહેતાએ સહિત અન્ય સભ્યો દ્વારા સાહસિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તો સાથે જ બોટ સ્કુલ ઓફ ભરૂચના મંત્રી જીતેન્દ્ર પટેલ પણ આ અભિયાનમાં જોડાઇને તેમના પરિવાર સાથે સમગ્ર ભરૂચને ગૌરાન્વિત કર્યું છે, ત્યારે આજરોજ અમરકંટકથી નીકળેલ "સોર્સ ટુ સી કાયકિંગ" ભરૂચના ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર નર્મદા કિનારે આવી પહોચતા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ત્રણેય સાહસિકોનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.