ભરૂચ : જંબુસરના કાવી ગામે જિલ્લાનું સૌથી મોટું તળાવ તૂટવાના મામલે થયેલા આક્ષેપનો કોન્ટ્રાક્ટર દ્વારા ખુલાસો..!

કોન્ટ્રાક્ટરે કામમાં બેદરકારી દાખવી હોવાનો ગામલોકોનો આક્ષેપ.

New Update
ભરૂચ : જંબુસરના કાવી ગામે જિલ્લાનું સૌથી મોટું તળાવ તૂટવાના મામલે થયેલા આક્ષેપનો કોન્ટ્રાક્ટર દ્વારા ખુલાસો..!

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે જિલ્લાનું સૌથી મોટું તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે તળાવ તૂટી પડતાં આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, ત્યારે આ મામલે થયેલા તમામ આક્ષેપને તદ્દન પાયાવિહોણા ગણાવી કોન્ટ્રાક્ટર દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામે વોટર શેડનું કામ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ કાવી ગામે કામ કરવામાં આવ્યું હતું. સરકાર તરફથી રૂપિયા 43 લાખથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાં તળાવ અને 1 આઉટલેટ, 2 ચેકડેમ આમ કુલ 3 કામો કરવાના હતા. આ ટેન્ડર કાવી ગામના જ એક કોન્ટ્રાક્ટરે ભર્યું હતું. ત્યારબાદ તેમનું ટેન્ડર પાસ થયું હતું. જેમાં 5% લેખે રકમ સિક્યુરિટી ડિપોઝીટ ફક્ત એફડીઆરના રૂપે વોટર શેડ કમિટી-કાવીને ચૂકવવાના હતા. 

જોકે, કોન્ટ્રાકટર દ્વારા રકમ નહીં ભરાતા વોટર શેડ કમિટી-કાવીએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપી, દીન-7માં જમા કરાવી અને કામ શરૂ કરવાની શરતે વર્ક ઓડર આપવામાં આવ્યો હતો. જો સમય મર્યાદામાં સિક્યુરિટી ડિપોઝિટ જમાં કરવવામાં નહીં થાય તો વર્ક ઓર્ડર રદ્દ ગણવામાં આવશે તેવી પણ નોટિસ આપી હતી. પણ તેના પર કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ ધ્યાન ન આપતાં અને કામ ન ચાલુ કરતા વોટર શેડની લગભગ 25 હેક્ટર જમીનમાં બનાવેલ તળાવનું પાણી વહી ગયું હતું. જેથી ત્યાંના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, રાજકીય રીસ રાખી આ કામ કરવામાં ન આવતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જ્યારે વોટર શેડ સમિતિના પ્રમુખને આ અંગે પૂછતાં તેઓએ પણ કોન્ટ્રાક્ટર દ્વારા સમયસર કામ ન થતા આ નુકશાન થયું હોવાનું જણાવ્યું હતું.

તો બીજી તરફ, જંબુસરના કાવી ગામે ઘટના બનતા અને મીડિયા દ્વારા સમાચાર પ્રકાશિત થતાં વોટર શેડના કોન્ટ્રાકટર વક્કાર પટેલે પોતાનો પક્ષ મીડિયા સમક્ષ મુક્યો હતો અને જણાવ્યું હતું કે, મારા પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે, તે તદ્દન પાયાવિહોણા છે. પણ વોટર શેડ કમિટી-કાવી દ્વારા તળાવ પર ગેરકાયદેસર સુપડી બનાવતા તળાવની મજબૂતાઈ ઓછી થઈ હતી. જેના કારણે આ તળાવ તૂટ્યું છે. અને તેમાં વોટર શેડ-કાવીની સમિતિ જવાબદાર છે. મારા પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જ્યારે મે હજુ વર્ક ઓડર લીધો જ નથી અને કામ ચાલુ કર્યું નથી તો તેમ છતાં મારા પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે, રાજકીય રીસ રાખી આ કામ ન કરવામાં આવ્યું. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા આ વાતને સદંતર નકારી કાઢવામાં આવી છે. વોટર શેડનું જે કામ કરવાનું હતું, એ પાકા રોડથી 2થી અઢી કિલોમીટર દૂર હતું, જેમાં સામનના પરિવહન માટે મુશ્કેલી ઉભી થાય તેમ હતી. જે વોટર શેડના અધિકારીને લેખિતમાં આપ્યું હતું. આ કામ રસ્તો બરાબર ન હોવાના કારણે નથી થયું, જ્યારે રસ્તાનું કામ થઈ ગયા પછી આ કામ કરવાની બાંહેધરી આપી હતી.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.
Latest Stories