અંકલેશ્વર: મર્હૂમ સાંસદ અહેમદ પટેલની પુણ્યતિથી નિમિત્તે શ્રધ્ધાંજલી સભાનુ કરાયુ આયોજન, દિગ્ગજનેતા સલમાન ખુરશીદ રહ્યા હાજર
મર્હુમ અહેમદભાઈ પટેલની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે તેઓના વતન પીરામણ ગામ ખાતે પ્રથાના સભા યોજાઈ
BY Connect Gujarat25 Nov 2023 8:21 AM GMT
X
Connect Gujarat25 Nov 2023 8:21 AM GMT
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભરૂચના પનોતા પુત્ર મર્હુમ અહેમદ પટેલની આજે ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભરૂચના પનોતા પુત્ર મર્હુમ અહેમદભાઈ પટેલની આજરોજ ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે તેઓના વતન પીરામણ ગામ ખાતે પ્રથાના સભા યોજાઈ હતી.પ્રાર્થના સભામાં કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદ, અર્જુન મોઢવાડીયા,તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આગેવાનોએ મર્હુમ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન પાઠવી આખરી મંજિલમાં ફૂલની ચાદર અર્પણ કરી હતી.આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા, અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ, પુત્રી મુમતાઝ પટેલ, પ્રવક્તા નાજુ ફડવાલા, સહિત કોંગ્રેસના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Next Story