New Update
GIDC વિસ્તારમાં શ્રી રામ ગ્રુપ દ્વારા કરાયું આયોજન
ભગવાન શ્રી રામ અને હનુમાનજીની આરતી ઉતારી
GIDCના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા યોજાય
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં શ્રી રામ ગ્રુપ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક ખાતે અંકલેશ્વરના શ્રી રામ ગ્રુપ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રુપના સભ્યો અને આગેવાનોએ ભગવાન શ્રી રામ સહિત રામભક્ત હનુમાનજીની આરતી ઉતારી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત શોભાયાત્રા જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં નીકળી હતી. આ શોભાયાત્રા દરમ્યાન શ્રી રામ ગ્રુપના સભ્યો તેમક મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી.
Latest Stories