Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં પધારવા ટ્રસ્ટના ચેરમેને આપ્યુ સમાજને આમંત્રણ

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન સહીત ટ્રસ્ટીઓ નવ નિર્માણ થનાર કેન્સર હોસ્પીટલના ભૂમિપૂજન માટે આમંત્રણ આપવા આવી પહોચ્યા હતા.

X

અંકલેશ્વરમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન સહીત ટ્રસ્ટીઓ નવ નિર્માણ થનાર કેન્સર હોસ્પીટલના ભૂમિપૂજન માટે આમંત્રણ આપવા આવી પહોચ્યા હતા.

રાજકોટ નજીક સર્વ સમાજના લાભાર્થે 47 એકરમાં 1 હજાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં સમાજને પધારવા માટેનું આમંત્રણ આપવાની શરૂઆત ગત તા. 17 ડીસેમ્બર 2023ના રોજ સોમનાથથી કરવામાં આવી હતી, જે આગામી તા. 11 જાન્યુઆરી 2024 સુધી ચાલશે ત્યારે રાઈવારના રોજ આ ટીમ અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી અને અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર ભવનમાં આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે અનેક આગેવાનોએ પણ હાજરી આપી હતી.

Next Story