અંકલેશ્વર: હાઈવેની હોટલ પરથી ફરી એકવાર ઝડપાયું કેમિકલ સગેવગે કરવાનું કૌભાંડ, રૂ.66 લાખનો મુદ્દામાલ જપ્ત

New Update
અંકલેશ્વર: હાઈવેની હોટલ પરથી ફરી એકવાર ઝડપાયું કેમિકલ સગેવગે કરવાનું કૌભાંડ, રૂ.66 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર તાલુકા પોલીસને મળી મોટી સફળતા

કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ટેન્કરમાંથી કેમિકલ કરાતુ હતું સગેવગે

રૂ.66 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત

અંકલેશ્વર તાલુકા પોલીસે પરિવાર હોટલના પાર્કિંગમાંથી કેમિકલ સગેવગે કરતા બે ટેન્કર ચાલકો સહીત ત્રણ ઇસમોને બેન્જીન સોલ્વન્ટ અને ટોલ્યુનના જથ્થો મળી કુલ ૬૬.૭૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

ગતરોજ ટેન્કર નંબર-જી.જે.૦૬.એ.એક્સ.૫૫૨૫માં સુરતના હજીરા રિલાયન્સમાંથી બેન્જીન સોલ્વન્ટ અને ટેન્કર નંબર-જી.જે.૦૬.એ.ઝેડ.૫૫૯૨માં ટોલ્યુન કેમિકલનો જથ્થો લઇ ચાલક બ્રજેશકુમાર અશોકકુમાર પાલ અને રામ વિલાસ શાંતિલાલ યાદવ ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં જવા નીકળ્યા હતા તે દરમિયાન બંને ટેન્કરના ચાલકો અન્ય ઇસમની મદદ વડે અંકલેશ્વરની પરિવાર હોટલના પાર્કિંગમાં વાલ્વના નટ બોલ્ટ ઢીલા કરી જવલનશીલ ટોલ્યુન અને બેન્જીન સોલ્વન્ટ કારબામાં કાઢી રહ્યા છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા અને પોલીસે સ્થળ પરથી કેમિકલ સગેવગે કરતા બંને ટેન્કરના ચાલકો ચાલક બ્રજેશકુમાર અશોકકુમાર પાલ અને રામ વિલાસ શાંતિલાલ યાદવ તેમજ મોહમંદ યાકુબ મોહમંદ ઇદ્રીશખાનને ઝડપી પાડ્યો હતો અને ત્રણ ફોન અને કેમિકલનો જથ્થો મળી કુલ ૬૬.૭૩ લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

Latest Stories