અંકલેશ્વર: ગેસ એજન્સીના સંચાલકને રૂ.18 લાખના ચેક રીટર્ન કેસમાં એક વર્ષ કેદની સજા ફટકારતી કોર્ટ

અંકલેશ્વર કોર્ટે ઉમિયા ગેસીસના સંચાલકને 18 લાખના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજાનો હુકમ કર્યો છે.

New Update
અંકલેશ્વર: ગેસ એજન્સીના સંચાલકને રૂ.18 લાખના ચેક રીટર્ન કેસમાં એક વર્ષ કેદની સજા ફટકારતી કોર્ટ

અંકલેશ્વર કોર્ટે ઉમિયા ગેસીસના સંચાલકને 18 લાખના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજાનો હુકમ કર્યો છે.

Advertisment

ભરૂચની યોગી ટાઉનશીપમાં રહેતા સ્નેહલ પટેલ ઉમિયા ગેસીસના પ્રોપરાઈટર છે. તેઓની મિત્રતા અંકલેશ્વરના ગડખોલના વેપારી મૌલિક દાણી સાથે થઈ હતી. બે વર્ષથી મિત્રતામાં વ્યવસાય અને અંગત કામ માટે જરૂર પડતા વર્ષ 2016 માં સ્નેહલભાઈએ તેમની પાસેથી 28 લાખ લીધા હતા. જેમાં ટુકડે ટુકડે થોડા નાણાં અપાયા હતા.બાકીના 8 અને 10 લાખના બે ચેક આપવામાં આવ્યા હતા. જે બેંકમાં નાખતા રીટર્ન થયા હતા. જે અંગે વારંવાર રજુઆત અને નોટિસ આપવા છતાં નાણાં નહિ અપાતા વેપારીએ મિત્ર સામે નેગૉશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કેસ કર્યો હતો.અંકલેશ્વર ત્રીજા એડિશનલ ચીફ જ્યૂડીશયલ મેજિસ્ટ્રેટ વિજય મકવાણાની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. કોર્ટે ગેસ એજન્સીના સંચાલકને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદ અને 18 લાખ એક મહિનામાં ચૂકવી આપવા હુકમ કર્યો છે.

Advertisment
Read the Next Article

ભરૂચ ટ્રક અને સરકારી જીપ વચ્ચે અકસ્માત, જંબુસરના પ્રાંત અધિકારીનો ચમત્કારિક બચાવ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે

New Update
accident આમોદ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે અચાનક ટક્કર મારતા ઘટનાની તીવ્રતા વધી હતી. આ અકસ્માત દરમિયાન ગાંગુલી સાહેબનો ચમત્કારિક બચાવ થયો હતો.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રક ચાલકે જીપને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં તેની વાહન પરનો કાબૂ ગુમાવી બેઠો અને સીધી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે નજીકના વિસ્તારમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થઇ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને ઘટના સ્થળ પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ ટ્રાફિકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો, અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરાઈ છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, જો જીપ થોડી સેકન્ડ પણ આગળ વધી ગઈ હોત, તો મોટો વિઘાટ સર્જાઈ શક્યો હોત. સદભાગ્યે કોઈ જાનહાનિ ટળી છે.

Advertisment
Latest Stories