Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પાનોલીની રીતુ ફાર્મા કંપનીમાં ધડાકા સાથે ભીષણ આગ,9 કામદારોનો આબાદ બચાવ

X

અંકલેશ્વરની પાનોલી GIDCનો બનાવ

રીતુ ફાર્મા કંપનીમાં ધડાકા સાથે ભીષણ આગ

9 કામદારોનો આબાદ બચાવ


ભરૂચની પાનોલી જીઆઈડીસીમાં આવેલ રીતુ ફાર્મા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી

અંકલેશ્વરમાં આવેલા ઔધોગિક એકમોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે, તેવામાં ગતરોજ રાત્રીના સમયે વધુ એક આગ લાગવાની ઘટના બની હતી,અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી રીતુ ફાર્મા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી.બ્લાસ્ટના કારણે લાગેલી આગ એટલી વિકરાર હતી કે,આગના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળતા હતાં.બનાવન ઇ જાણ થતાની સાથે જ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દોઢથી બે કલાકની જહેમત બાદ આ એજી પર કાબૂ મેળવ્યો હતી સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. ડ્રમમાં સોલવન્ટ ભરતા સમયે સ્પાર્ક થતાં આગ ફાટી નિકળી હોવાનું પ્રાથમિક અનુમાન તંત્ર દ્વારા લગાવવામાં આવી રહયું છે.

Next Story