અંકલેશ્વર: અંતે ONGC ઓવરબ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો,ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ !

બ્રિજ શરુ થતા જ ગડખોલ બ્રિજ તેમજ પીરામણ રોડનું ટ્રાફિક ભારણ ઘટી શકે છે.

New Update
અંકલેશ્વર: અંતે ONGC ઓવરબ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો,ટ્રાફિકની સમસ્યામાંથી  મળશે મુક્તિ !

અંકલેશ્વરવાસીઓ માટે રાહતના સમાચાર

મહત્વપૂર્ણ ONGC ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે કરાયો ચાલુ

સમારકામના હેતુસર છેલ્લા 1 વર્ષથી બ્રિજ હતો બંધ

વાહનચાલકોને થશે રાહત

લાંબા ફેરાવા અને ટ્રાફિકજામમાંથી મળશે મુક્તિ

અંકલેશ્વરના વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.અતિ મહત્વપૂર્ણ ONGC ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે આજથી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. અંકલેશ્વર શહેર અને નેશનલ હાઇવેને જોડતાં માર્ગ પર આવેલો ઓએનજીસી ઓવરબ્રિજ આજથી વાહનો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે બ્રિજની નવીનતાની વાત કરવામાં આવે તો બ્રિજ પર દિશા સૂચક સાઈન બોર્ડ લગાવવામાં આવ્યાં છે.

આ ઉપરાંત રોડ પરથી વરસાદી પાણીના નિકાલ માટેના અડચણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે . બ્રિજ પર ડામરનું કામ કરી લેવાયું છે અને લાઇટો પણ મુકી દેવામાં આવી છે. બ્રિજ શરુ થતા જ ગડખોલ બ્રિજ તેમજ પીરામણ રોડનું ટ્રાફિક ભારણ ઘટી શકે છે. અગાઉ આ બ્રિજને 9 મહીનામાં વાહનો માટે ખુલ્લો મુકી દેવાનું આયોજન હતું પણ કામગીરીમાં વિલંબ થતાં એક વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હતો જેના કારણે જૂના નેશનલ હાઇવે પરથી પસાર થતાં હજારો વાહનચાલકોએ હાલાકી વેઠી હતી જો કે હવે બ્રિજ ચાલુ થઈ જતા વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો

Read the Next Article

અંકલેશ્વર : માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલમાં આયોજન કરાયું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

  • એક રાષ્ટ્ર એક ચૂંટણીના અમલીકરણ અંગે ચર્ચા કરાય

  • તબીબવર્ગવેપારી સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થવા અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતેએક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલન યોજાયું હતું.જેમાંએક રાષ્ટ્ર એક ચૂંટણીની અવધારણા અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંતએક રાષ્ટ્ર એક ચૂંટણીના વિવિધ ફાયદાઓ વિશે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી.

આ અવસરેએક રાષ્ટ્ર એક ચૂંટણીના નિર્ણયને તમામ ઉપસ્થિતોએ આવકારીPM મોદીના 11 વર્ષના કાર્યકાળને વધાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી જનક બગદાણાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીઅંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ સહિત તબીબ વર્ગવેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.