અંકલેશ્વર : જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાનને પ્રોત્સાહિત કરવા કવિ સંમેલન યોજાયું
કવિ સંમેલનમાં પદ્મશ્રી સુનિલ જોગી, પદ્મશ્રી સુરેન્દ્ર દુબે અને અન્ય કવિઓએ પોતાની સુંદર કવિતાઓ રજૂ કરી
ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે કવિ સંમેલનનું આયોજન
મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કવિ સંમેલનનો પ્રારંભ કર્યો
પદ્મશ્રી સુનિલ જોગી, સુરેન્દ્ર દુબે સહિતના કવિની ઉપસ્થિતિ
કવિઓ દ્વારા પોતાની સુંદર કવિતાઓ રજૂ કરવામાં આવી
મોટી સંખ્યામાં આમંત્રિતો અને શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત ડાયમંડ થિયેટર ખાતે કવિ સંમેલન-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને પ્રોત્સાહિત કરવાના હેતુથી કવિ સંમેલન યોજાયું હતું.
અંકલેશ્વર GIDCમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કવિ સંમેલનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનમાં પદ્મશ્રી સુનિલ જોગી, પદ્મશ્રી સુરેન્દ્ર દુબે અને અન્ય કવિઓએ પોતાની સુંદર કવિતાઓ રજૂ કરી હતી. આ સંમેલનમાં અંકલેશ્વરના જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અનુરાગ પાંડે, અનિરુધ પાંડે સહિતના આમંત્રિતો અને મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.