અંકલેશ્વર: ONGC ઓવરબ્રિજના ગરનાળાના નીચેનો માર્ગ શરૂ કરાયો, વાહનચાલકોને મળી મોટી રાહત

અંકલેશ્વરમાં ઑ.એન.જી.સી.બ્રિજના ગરનાળાના માર્ગને આજથી શરૂ કરી દેવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત સાંપડી છે

New Update
અંકલેશ્વર: ONGC ઓવરબ્રિજના ગરનાળાના નીચેનો માર્ગ શરૂ કરાયો, વાહનચાલકોને મળી મોટી રાહત

અંકલેશ્વરમાં ઑ.એન.જી.સી.બ્રિજના ગરનાળાના માર્ગને આજથી શરૂ કરી દેવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત સાંપડી છે

અંકલેશ્વરના ઓએનજીસી બ્રિજના ગરનાળાને 20મી એપ્રિલથી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું હતું.જેના કારણે જુના નેશનલ હાઇવે પરથી પસાર થતાં 35 હજાર જેટલા વાહનો પિરામણ ગામવાળા રસ્તે પસાર થઇ રહ્યાં હતા. જેનાથી અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકટ બની હતી.અંકલેશ્વર ONGC ફલાયઓવર નીચે મહાવીર ટર્નિંગ પાસે આવેલું ગરનાળુ સાંકડુ પડી રહ્યું હોવાથી તેને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થતાં આજે બપોરેના સમયે આ માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે હજારો વાહન ચાલકોને રાહત સાંપડી હતી.ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેનો રસ્તો આજથી શરૂ થઇ ગયો હતો પરંતુ નેશનલ હાઇવેથી અંકલેશ્વર શહેર તરફ આવતો ONGC બ્રિજ વાળો રસ્તો 6 મહિના સુધી બંધ રહેશે. ઓએનજીસી બ્રિજના એક તરફના ભાગ પર કામગીરી શરુ કરવામાં આવશે અને બીજી તરફ માર્ગ વ્યવહાર ચાલુ કરવામાં આવશે.


Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.