અંકલેશ્વર : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને GIDC પોલીસ મથક ખાતે યોજાય શાંતિ સમિતિની બેઠક

આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે

New Update
અંકલેશ્વર : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને GIDC પોલીસ મથક ખાતે યોજાય શાંતિ સમિતિની બેઠક

આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.

આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ ઉત્સાહની સાથે સાથે કાયદો અને વ્યવસ્થા પણ જળવાય રહે તે હેતુથી રાજ્યભરમાં પોલીસ તંત્ર સાબદું થયું છે. તેવામાં અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોસમડી, ભડકોદરા, સારંગપુર તેમજ GIDC રહેણાંક વિસ્તારની તમામ સોસાયટીઓના પ્રમુખ, વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો, સામાજિક સેવાકીય સંગઠનના અધિકારીઓએ પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં અંકલેશ્વર GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરે તમામ લોકોને શાંતિ જાળવવા તેમજ કોઈપણ રેલી-પ્રસંગ યોજવા માટે મંજૂરી લેવા માટે નમ્ર અપીલ કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

New Update
bolld

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાઓને આયુષ બ્લડ બેન્કના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તરત તે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન એ જ મહાદનને સાર્થક કરવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કેન્દ્રો પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકો ઉત્સાહભેર જોડાઈ છે