અંકલેશ્વર : ફિકોમ ચોકડી નજીક 2 મોર-એક ઢેલનો મૃતદેહ મળી આવતા ચકચાર, વન વિભાગ દોડતું થયું

GIDC વિસ્તારમાં આવેલ ફિકોમ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં 2 મોર અને એક ઢેલનો દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update
અંકલેશ્વર : ફિકોમ ચોકડી નજીક 2 મોર-એક ઢેલનો મૃતદેહ મળી આવતા ચકચાર, વન વિભાગ દોડતું થયું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ફિકોમ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં 2 મોર અને એક ઢેલનો દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ફિકોમ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં મોરને દાટવામાં આવ્યો હોવાની બાતમીના આધારે વન વિભાગે તપાસ શરૂ કરી હતી, ત્યારે બાતમીવાળી જગ્યા પર ખોદકામ કરવામાં આવતા વન વિભાગને 2 મોર અને એક ઢેલનો જમીનમાં દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, મોર અને ઢેલના મૃતદેહનો નિકાલ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક શંકા વન વિભાગ સેવી રહ્યું છે, ત્યારે હાલ તો વનવિભાગે મોર અને ઢેલના મૃતદેહનો કબજો મેળવી મોત પાછળનું કારણ શોધવા પ્રયાસ શરૂ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નજીકના દિવસોમાં ચોમાસાની ઋતુના આગમન સાથે મોરના ટહુકાનો મધુર અવાજ વાતાવરણને પ્રફુલ્લીત બનાવતો હોય છે, ત્યારે રાષ્ટ્રીયપક્ષી મોરના મોતથી પ્રકૃતિ પ્રેમીઓમાં પણ શોકની લાગણી છવાઈ હતી.


Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.