અંકલેશ્વર : જાહેર માર્ગો પર ઉભા થયેલા દબાણો પર પાલિકાએ તવાઈ બોલાવી, અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ..!

આંતરિક માર્ગો પરના દબાણ પણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

New Update
અંકલેશ્વર : જાહેર માર્ગો પર ઉભા થયેલા દબાણો પર પાલિકાએ તવાઈ બોલાવી, અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા દ્વારા જાહેર માર્ગ પરના દબાણોને પુનઃ દૂર કરવામાં આવ્યા છે. લારી-ગલ્લા ઉપરાંત દુકાનદારો દ્વારા ફૂટપાથ પર દબાણ પુનઃ ઉભું કરવામાં આવ્યું હતું. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હોવાથી 2 દિવસીય દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી છે. નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ ઉભા થયેલા દબાણ દૂર કરવા 3 દિવસની મુદત આપી હતી.

નગર પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત માઈક વડે વિવિધ વિસ્તાર અને જાહેર માર્ગ પર સ્વૈચ્છીક રીતે દબાણ દૂર કરવા જાહેરાત કરવામાં આવી હતી. એ પૂર્વે નગરપાલિકા દ્વારા દબાણકારોને પોતાના ઉભા કરેલા દબાણ સ્વૈચ્છીક રીતે દૂર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી, અને જાહેર નોટિસરૂપે નગરપાલિકા દ્વારા મોપેડ પર માઈક વડે શહેરના જાહેર માર્ગો પર જાહેર નોટિસની જાહેરાત કરાઈ હતી.

અને ૩ દિવસમાં દબાણ દૂર કરવા જાહેર કરવામાં આવ્યું હતું. જે આજથી નગર પાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેકટર આશીફ શેખ, સલીમ તબરેઝ સહીત સેનીટેશન વિભાગની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ઉભા કરાયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આંતરિક માર્ગો પરના દબાણ પણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.