ભરૂચ-અંકલેશ્વરમાં ભારત વિકાસ પરિષદ આયોજિત ભારત કો જાનો ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ કરાયા એનાયત

ભરૂચ અને અંકલેશ્વર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત ભારત કો જાનો ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.

New Update
ભરૂચ-અંકલેશ્વરમાં ભારત વિકાસ પરિષદ આયોજિત ભારત કો જાનો ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ કરાયા એનાયત

ભરૂચ અને અંકલેશ્વર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત ભારત કો જાનો ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.

Advertisment

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ૧૩ શાખાઓ પૈકી ભારત વિકાસ પરિષદ કાર્યરત છે જેના દ્વારા સાંપ્રત સમયમાં યુવા પેઢી ભારતને જાણતી થાય તે માટે ભારત કો જાનો પ્રશ્ન મંચ અંતર્ગત જીલ્લાની વિવિધ શાળાઓ ખાતે ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ટ્રોફી એનાયત કરતો કાર્યક્રમ ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેઓના હસ્તે ભારત કો જાનો ક્વિઝ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ નારાયણ વિદ્યા વિહારના આચાર્ય ડો.મહેશ ઠાકરના ઠાકરવાણી-૩ પુસ્તકનુ વિમોચન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના અધ્યક્ષ નરેશ ઠક્કર અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ચાણક્ય વિદ્યાલય ખાતે પણ ભારત કો જાનો પ્રશ્ન મંચ અંતર્ગત યોજાયેલ ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિત મહાનુભાવોના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના ઉપપ્રમુખ ભાસ્કર આચાર્ય,સેવા વિભાગના ઉપપ્રમુખ કે.આર.જોશી,શાળાના ડાયરેકટર રશીલા પટેલ,મનીષા થાનકી,આચાર્ય સુવર્ણા પાટીલ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા

New Update
y

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે.

Advertisment

રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો  સહિત માર્ગો પર ત્રિરંગી લાઇટિંગ આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું છે.શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકો થી લઈને વડીલ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઇલ કેમેરામાં આ ઝલક કેદ કરી રહી છે.