ભરુચ : જંબુસરમાં ખાનગી હોસ્પીટલમાં લાગી આગ, સદનસીબે મોટી જાનહાનિ ટળી

New Update
ભરુચ : જંબુસરમાં ખાનગી હોસ્પીટલમાં લાગી આગ, સદનસીબે મોટી જાનહાનિ ટળી

Advertisment

ભરૂચ જિલ્લાના જંબુસરમાં રાતના સુમારે ખાનગી હોસ્પિટલમાં આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. રાતે 10 વાગ્યાના અરસામાં હોસ્પિટલમાં ધુમાડા નજરે પડયા હતા જે બાદ વોર્ડમાં દોડધામ મચી હતી. આગનું કારણ શોર્ટસર્કીટ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. સૂત્રો અનુસાર એ.સી.માં લાગેલી આગના કારણે ઘટના સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતા પારખી હોસ્પિટલના ફાયરસેફટી સિસ્ટમ ઉપરાંત ફાયરબ્રિગેડને પણ મદદે બોલાવાયું હતું. સમયસર દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડી લેવાતા ઘટનામાં કોઈ જાનહાની નોંધવાવા પામી નથી. સમાચાર વાયુવેગે નગરમાં ફેલાતા દર્દીઓના સગા સંબંધીઓના હોસ્પિટલ બહાર ટોળા એકત્રિત થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં ભરૂચમાં ખાનગી હોસ્પિટલમાં આગની ઘટનામાં 16 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગત રાતની જંબુસરની ઘટના અંગે પોલીસે ચોપડે નોંધ કરી તપાસ હાથ ધરી છે. સૂત્રો અનુસાર જનરલ હોસ્પિટલ જંબુસરમાં આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. આગ લગતા તાત્કાલિક દર્દીઓને સલામત સ્થળે ખસેડી લેવાતા કોઈ જાનહાની નોંધાઈ ન હતી. હોસ્પિટલની ફાયર સિસ્ટમ ઉપરાંત ફાયરબ્રિગેડે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ચોપડે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર નિંદ્રા માણી રહેલ કારચાલકના રૂ.7.78 લાખના માલમત્તાની ચોરી, 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કારપાર કરી નિંદ્રા માણી રહેલા કારચાલકના રૂપિયા 7.78 લાખના મુદ્દામાલની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી

New Update

અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

Advertisment

NH 48 પરનો બનાવ

કારચાલકના માલમત્તાની થઈ હતી ચોરી

પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

રૂ.7.78 લાખના માલમત્તાની કરી હતી ચોરી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કારપાર કરી નિંદ્રા માણી રહેલા કારચાલકના રૂપિયા 7.78 લાખના મુદ્દામાલની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
 ગત 14 મી મે 2025ના રોજ નવસારીના બીલીમોરા ખાતે રહેતા અને વલસાડ સ્થિત બાલાજી વેફર્સના પ્લાન્ટમાં રહેતા સિનિયર ઓફિસર કલ્પેશ શાહ રાત્રીના ઊંઘ આવતી હોવાથી તેઓ નવજીવન હોટલ સામે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી સુઈ ગયા હતા તે દરમિયાન તેમના પહેરેલા સોનાના દાગીના અને મોબાઇલ અને તેની એસેસરીઝ મળી રૂ.  7.78 લાખની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.
આ અંગે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા શંકાસ્પદ બાઈક ચાલક નજરે પડ્યો હતો.પોલીસે બાઈક નંબરના આધારે રોયલ રેસિડેન્સી ખાતે રહેતા ભંગારીયા અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન, સાંઈ દર્શન સોસાયટી ખાતે રહેતા ખેતલા આપા હોટલના  વિપુલ પુના ગમારા ,અંસાર માર્કેટ ખાતે રહેતા ભંગારના દલાલ નૂરઆલમ , બદરુદ્દીન મનીહાર,  અને ભંગાર વેપારીને ત્યાં ન્યુ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કામ કરતા જીકરાન ઉર્ફે જીકાન ઈમરાન કુરેશી ને ઝડપી પાડ્યા હતા અને તેમની ઉલટ તપાસ કરતા તેઓ ચોરીની કબૂલાત કરી હતી.પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી કુલ રૂપિયા 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment