ભરૂચ: વાગરાના રહીયાદ ગામે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો,જરૂરિયાતમંદ લોકોએ લીધો લાભ

GACL એજ્યુકેશન સોસાયટી, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ- અંકલેશ્વરના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ: વાગરાના રહીયાદ ગામે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો,જરૂરિયાતમંદ લોકોએ લીધો લાભ

ભરૂચના વાગરા તાલુકાના રહિયાદ ગામ ખાતે GACL એજ્યુકેશન સોસાયટી, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ- અંકલેશ્વરના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના વાગરા તાલુકાના રહિયાદ ગામની પ્રાથમિક શાળા ખાતે GACL એજ્યુકેશન સોસાયટી, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ-અંકલેશ્વર ના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો મોટી સંખ્યામાં આસપાસના ગામોમાંથી આવેલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં નાક, કાન, ગળા, આંખ, હાડકા તેમજ અન્ય સર્વરોગના નિષ્ણાંત તબીબોએ નિ:શુલ્ક સેવા આપી હતી.આ સાથે જ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.સમગ્ર કેમ્પ દરમ્યાન સ્થાનિક આગેવાનો, તબીબો, નર્સિંગ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories