ભરૂચ : AAPના આગેવાનોની ED દ્વારા ખોટી રીતે થતી ધરપકડના આક્ષેપ સાથે AAPના કાર્યકારોએ નોંધાવ્યો વિરોધ...

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મનીષ સિસોદીયા બાદ વધુ એક નેતા સંજય સિંઘની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી

New Update
ભરૂચ : AAPના આગેવાનોની ED દ્વારા ખોટી રીતે થતી ધરપકડના આક્ષેપ સાથે AAPના કાર્યકારોએ નોંધાવ્યો વિરોધ...

APના આગેવાનોની ઈડી દ્વારા ખોટી રીતે ધરપકડના આક્ષેપ

આમ આદમી પાર્ટીના આગેવાનો-કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ

વિવિધ સૂત્રોચ્ચાર સહિતના બેનરો લઈ ઉગ્ર નારા લગાવ્યા

આમ આદમી પાર્ટીના નેતાઓની ઈડી દ્વારા ખોટી રીતે ધરપકડના આક્ષેપ સાથે ભરૂચ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મનીષ સિસોદીયા બાદ વધુ એક નેતા સંજય સિંઘની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

જેના પગલે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે, ત્યારે ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં આપના કાર્યકરોએ હાથમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે હાથમાં બેનરો લઈ ભરૂચ રેલ્વે સ્ટેશન બહાર ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ ઇડી દ્વારા કરવામાં આવતી ખોટી કાર્યવાહીના આક્ષેપ સાથે આપના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ નોંધાવી નારા લગાવ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories