ભરૂચ : અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે યોજાયો શિક્ષક દિવસ, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગજેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત.

New Update
ભરૂચ : અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

તારીખ 5 સપ્ટેમ્બર એટલે કે વ્યવસાયે શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ આ દિવસને શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પણ આ દિવસને અત્યંત શિક્ષણ પ્રત્યેના સન્માનભેર ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કુલ ખાતે શિક્ષક દિન નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક ગજેન્દ્ર પટેલ ઉપરાંત અંકલેશ્વર નગર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમિતિના પ્રમુખ કિંજલ ચૌહાણ, ખરોડ બી.એડ કોલેજના પ્રોફેસર ડો. ઈન્તેખાબ અંસારી અને સંસ્થાના પ્રમુખ નાઝુ ફડવાલા સહિત અન્ય ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના આચાર્ય અને શિક્ષકોનું સન્માન કર્યુ હતું.

આ પ્રસંગે ટ્રસ્ટી નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે શિક્ષકો સમાજનું એક એવું અભિન્ન અંગ છે જે સમાજના ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવે છે. શિક્ષક દિન નિમિત્તે તમામ શિક્ષકોને વંદન અને એક સ્વસ્થ, સુશિક્ષિત અને પ્રગતિકારક પેઢીને સુસંસ્કૃત કરનાર શિક્ષકોને હું અભિનંદન પાઠવું છું.

Read the Next Article

ભરૂચ : માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીની 58મી સામાન્ય સભા યોજાઈ

ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી હતી.જેમાં અમદાવાદ ખાતેના પ્લેન દુર્ઘટનાનાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

New Update
  • કર્મચારીઓની કો-ઓપ.ક્રેડીટ સોસા.ની 58મી સામાન્ય સભા

  • ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે યોજાય સામાન્ય સભા

  • અમદાવાદ પ્લેન ક્રેશનાં મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ

  • બાળકોને શૈક્ષણિક કીટનું પણ કરાયું વિતરણ

  • નિવૃત સભાસદોનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરાયું સન્માન   

ભરૂચની ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે ઘી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી હતી.

ભરૂચની ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી હતી.જેમાં અમદાવાદ ખાતેના પ્લેન દુર્ઘટનાનાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી,આ ઉપરાંત  બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ સામાન્ય સભામાં નિવૃત્ત થયેલા સભાસદોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.અને સભામાં સંસ્થાના સભ્યો સાથે વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ પ્રવીણસિંહ રણા,કિરીટસિંહ ધરિયા,અજય રણા,ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર રવિન્દ્ર રણા સહિત ગુજરાત રાજ્ય સહકારી સંઘ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories