/connect-gujarat/media/post_banners/e0dfd288e4c1d4201fcd4adfe2c303c035848141915ae35335d21eadc576c5fb.jpg)
બ્રાહ્મણોના હિતાર્થ ચાલુ કરવામાં આવેલ ભરૂચ જિલ્લા શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી અને બ્રહ્મ શૉશ્યલ ગ્રુપની વાર્ષિક સાધારણ સભા મળી હતી
રવિવારના રોજ ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના સભાખંડમાં ભરૂચ જિલ્લા શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી અને બ્રહ્મ શૉશ્યલ ગ્રુપની વાર્ષિક સાધારણ સભા મળી હતી.ભરૂચ જિલ્લા શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળીના પ્રમુખ શૈલેષ દવે દ્વારા ગતવર્ષના વાર્ષિક હિસાબો વંચાણે લેવામાં આવ્યા હતા. વાર્ષિક સાધારણ સભામાં વર્ષ દરમ્યાન કરેલ કાર્યોને લઇ ભુદેવોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા શ્રી પરશુરામ બચત અને ધિરાણ મંડળીના પૂર્વ પ્રમુખ રજનીકાંત રાવલ, પ્રમુખ શૈલેષ દવે, માનદ મંત્રી જ્યેન્દ્ર ઉપાધ્યાય,ઉપપ્રમુખ પ્રદીપ રાવલ,ધારાશાસ્ત્રી પરેશ પંડ્યા સહિત મંડળીના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.