ભરૂચ : મનુબર ચોકડી નજીક થતાં અકસ્માતોને નિવારવા યુવક કોંગ્રેસનું SP કચેરી ખાતે આવેદન...

ભરૂચની મનુબર ચોકડીથી દહેજ બાયપાસ રોડ નજીક વારંવાર થતાં અકસ્માતોના કારણે અગાઉ અનેક નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે,

New Update
ભરૂચ : મનુબર ચોકડી નજીક થતાં અકસ્માતોને નિવારવા યુવક કોંગ્રેસનું SP કચેરી ખાતે આવેદન...

ભરૂચની મનુબર ચોકડીથી દહેજ બાયપાસ રોડ નજીક વારંવાર થતાં અકસ્માતોના કારણે અગાઉ અનેક નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે, ત્યારે આ અકસ્માતોને નિવારવા ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ પોલીસ અધિક્ષક કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ મનુબર ચોકડી નજીક વારંવાર અકસ્માતો સર્જાવવાના બનાવો બને છે. જેમાં અગાઉ અનેક નિર્દોષો અને માસુમ બાળકોના મોત નિપજ્યાં છે. મનુબર ચોકડી જાણે મોતની ચોકડી બની ગઈ હોય તેમ સ્થાનિકો માની રહ્યા છે. ગઈ કાલે રાત્રીના પણ આ ચોકડી પર ગોઝારા અકસ્માતમાં વધુ એક પરિવારના વ્યક્તિનો ભોગ લેવાયો છે. ભરૂચ–દહેજ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ઉપર મનુબર ચોકડી મહત્વનો પોઈન્ટ છે. મનુબર ચોકડીની આજુબાજુમાં જ મુન્શી સ્કુલ, મુન્શી આઈ.ટી.આઈ., ઇકરા સ્કુલ, વી.સી.ટી. ગર્લ્સ સ્કુલ જેવી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અસંખ્ય સોસાયટીઓ આવેલી છે. આ રોડ 24 કલાક મહાકાય વાહનોથી ધમધમતો હોવા છતાં ટ્રાફિક સિગ્નલ અને હાઈમાસ્ટ લાઈટનો અભાવ હોવાથી આ વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું છે. જેથી પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી અહી થતાં અકસ્માતોના બનાવો નિયંત્રણમાં લેવાત તે માટે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિના પ્રમુખ શકીલ અક્કુજી, યુવા નેતા શેરખાન પઠાણ અને સહકારી અગેવાન સંદીપ માંગરોલાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોએ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.