ભરૂચ : એસટી ડિવિઝનમાં પસંદગી પામેલાં 290 ડ્રાયવરોને નિમણુંક પત્રો અપાયાં

ભરૂચ ડિવિઝનને ફાળવવામાં આવેલાં નવા 290 ડ્રાયવરોને નિમણુંક પત્રો આપવાનો કાર્યક્રમ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયો

New Update
ભરૂચ : એસટી ડિવિઝનમાં પસંદગી પામેલાં 290 ડ્રાયવરોને નિમણુંક પત્રો અપાયાં

ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમના ભરૂચ ડિવિઝનને ફાળવવામાં આવેલાં નવા 290 ડ્રાયવરોને નિમણુંક પત્રો આપવાનો કાર્યક્રમ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયો ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમે તાજેતરમાં ડ્રાયવર કક્ષાના 2,200 જેટલા કર્મચારીઓની ભરતી કરી છે. નિગમમાં પસંદગી પામેલાં ડ્રાયવરોને નિમણુંક પત્રો આપવાનો કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયો.. જેમાં માર્ગ અને મકાન વિભાગના કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદી સહિતના મહેમાનોના હસ્તે ભરૂચ ડિવિઝનના 290 ડ્રાયવરોને નિમણુંક પત્રો એનાયત કરાયાં .

રાજ્ય કક્ષાના કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૧થી દર વર્ષે નિગમમાં ડ્રાઇવર અને કંડક્ટરોની ભરતી કરવામાં આવે છે. ચાલુ વર્ષે ડ્રાઇવર કક્ષામાં ર૨૦૦ કર્મચારીઓની નવી નિમણૂંક કરવામાં આવેલી છે. જે પૈકી ભરૂચ વિભાગને ૨૯૦ ડ્રાઇવરોની ફાળવણી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો. અંક્લેશ્વર જી.આઇ.ડી.સી., હાંસોટ, જંબુસર બસ સ્ટેન્ડની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. ભરૂચ ખાતે પીપીપી પ્રોજેક્ટ હેઠળ નવા અત્યાધુનિક બસ સ્ટેશન અને ડેપો વર્ક્શોપ બનાવવાની કામગીરી ચાલી રહી છે. નર્મદા જિલ્લામાં સેલંબા બસ સ્ટેશનની કામગીરી પુર્ણ કરાય છે તેમજ કેવડીયા કોલોની ખાતે બસ સ્ટેશનનું નવીનીકરણ કરવાની કામગીરી ચાલી રહી છે. પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

Read the Next Article

અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે કુખ્યાત બુટલેગરના ભાઈ સહિત 2 ઇસમોની પ્રોહીબિશનના ગુનામાં કરી ધરપકડ

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા, ગત તારીખ-15મી જુનના રોજ અંકલેશ્વરના

New Update
Screenshot_2025-07-12-

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા

ગત તારીખ-15મી જુનના રોજ અંકલેશ્વરના પ્રતિન ત્રણ રસ્તા નજીક આવેલ વેલકમ હોટલ પાછળ બંધ પડેલ સીને પ્લાઝા સિનેમા પાસે ભરૂચના ફાંટા તળાવ વૈરાગી વાડ ખાતે રહેતો દિનેશ કાંતિ વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ પોલીસે દરોડા પાડયાં હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂના પાઉચ અને બોટલ મળી કુલ 64 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 13 હજારનો દારૂ અને ત્રણ વાહનો તેમજ ત્રણ ફોન મળી કુલ 98 હજારથી વધુના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ચાર ઇસમોને ઝડપી પાડયા હતા.જ્યારે અન્ય ત્રણ શાહરુખ અલ્લા રખા શેખ,આકાશ પટેલ અને પ્રતીક બીપીનચંદ કાયસ્થને વોન્ટેડ જાહેર કર્યા હતાં.પોલીસે આ પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ ભરૂચમાં રહેતો કુખ્યાત બુટલેગર નયન કાયસ્થના ભાઈ પ્રતીક બીપીનચંદ્ર કાયસ્થ અને આકાશ પટેલને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.
Latest Stories