/connect-gujarat/media/post_banners/c7ccca5391ab2eda73370a8edff2658c7c276ad1d7bc2e42a0a11139ad9b3810.jpg)
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનાજી મંદિર સાળંગપુરધામ દ્વારા આયોજિત “શ્રી શતામૃત મહોત્સવ સાળંગપુરધામ આમંત્રણ રથ” આજરોજ ભરૂચ ખાતે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આવેલું છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનાજી મંદિર સાળંગપુરધામ દ્વારા આયોજિત “શ્રી શતામૃત મહોત્સવ સાળંગપુરધામ આમંત્રણ રથ” થકી તા. 8થી 9 ઓક્ટોબર દરમ્યાન ભરૂચના વિવિધ વિસ્તારોમાં આપણાં દાદા આપણાં શહેરમાં પધાર્યા છે, ત્યારે આજરોજ “શ્રી શતામૃત મહોત્સવ સાળંગપુરધામ આમંત્રણ રથ” ભરૂચ ખાતે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચની શ્રવણ ચોકડી ખાતે આમંત્રણ રથમાં બિરાજમાન કષ્ટભંજનદેવ હનુમાનાજીની આરતી ઉતારી તેમજ પુષ્પો ધરાવી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, આમંત્રણ રથ-ભરૂચના આયોજક મૌલિક મિસ્ત્રી, રાકેશ મહેતા સહિત મોટી સંખ્યામાં ભરૂચની ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી.