Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચારક સંસ્થા-મથુરા દ્વારા 76 દિવસીય પ્રસાર, 6થી વધુ રાજ્યમાં યોજાશે સત્સંગ

X

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચારક સંસ્થા-મથુરાનું આયોજન

76 દિવસીય પ્રસાર માટે 6થી વધુ રાજ્યમાં સત્સંગ યોજાશે

સત્સંગપ્રેમી જનતાને સત્સંગનો લાભ લેવા કરાયો અનુરોધ

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચારક સંસ્થા મથુરા દ્વારા 76 દિવસીય પ્રસાર માટે 6થી વધુ રાજ્યમાં સત્સંગ કરશે તેમાં દક્ષિણ ગુજરાતમાં 4 અલગ અલગ સ્થળે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. જય ગુરુદેવ ધર્મ પ્રચારક સંસ્થા, મથુરા સાથે જોડાયેલ જયગુરુદેવ સંગત સેલંબાના નેજા હેઠળ આધ્યાત્મિક સત્સંગ સમારોહનું દક્ષિણ ગુજરાતમાં 4 અલગ અલગ સ્થળે પંકજજી મહારાજ આધ્યાત્મિક સત્સંગ આપશે. જયગુરુદેવ સંગત સેલંબા નેજા હેઠળ આધ્યાત્મિક સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સેલંબા APMC સામેના ગ્રાઉન્ડમાં એક સત્સંગ યોજાશે, જ્યારે 26મી જાન્યુઆરીના રોજ પીઠા ગ્રાઉન્ડ, ડેડીયાપાડામાં અને ત્યાર બાદ 27મી જાન્યુઆરી વાલિયાના પઠાર ગામે, તો ત્યાર બાદ 28મી જાન્યુઆરીના રોજ નાંદોદના આમલેથા મુકામે સત્સંગ યોજાશે. આમ દક્ષિણ ગુજરાતમાં કુલ 4 સત્સંગમાં સંસ્થાના વડા પંકજજી મહારાજ કાર્યક્રમમાં આધ્યાત્મિક સત્સંગ આપશે. તેઓ તેમના ગુરુ મહારાજ પરમ સંત બાબા જયગુરુદેવ મહારાજના અમર શબ્દોનું પઠન કરશે. માનવ-ધર્મ, માનવ-કર્મ, માનવ-પ્રેમ, એકતા, શાકાહાર માટે દાન, નૈતિકતા, દારૂ-નિષેધ, ચારિત્ર્ય ઉત્થાન અને સારા સમાજના નિર્માણનો પ્રેરણાદાયી સંદેશ આપશે. સત્સંગ કાર્યક્રમની પૂર્વસંધ્યાએ, તેઓ તેમના 76 દિવસના શાકાહાર, નૈતિકતા, દારૂ પ્રતિબંધ, આધ્યાત્મિક વૈચારિક જનજાગૃતિ પ્રવાસ માટે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, દાદરાનગર હવેલી અને ગુજરાત સહિતના સ્થળે સત્સંગ યોજાશે, ત્યારે આ સત્સંગમાં તમામ ધર્મપ્રેમીઓ, સત્સંગપ્રેમી મહાન વ્યક્તિઓ, ભાઈઓ અને બહેનોને સત્સંગનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે, ત્યારે આ યાત્રા આજરોજ ભરૂચ જીલ્લામાં આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Next Story