ભરૂચ: બી.એચ. મોદી વિદ્યામંદિરના આચાર્ય હરેન્દ્રસિંહ નટવરસિંહ સિંધાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી

New Update
ભરૂચ: બી.એચ. મોદી વિદ્યામંદિરના આચાર્ય હરેન્દ્રસિંહ નટવરસિંહ સિંધાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી

ભરૂચ શહેરની શ્રી બી.એચ. મોદી વિદ્યામંદિર, વેજલપુર, ભરૂચ.ના આચાર્ય,શિક્ષણવિદ,સાહિત્યકાર અને ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માનિત હરેન્દ્રસિંહ નટવરસિંહ સિંધાને કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય, ભારત સરકારના ક્ષેત્રીય ડાયરેક્ટર,ડો.સુનિલકુમારના હસ્તે ગાંધીનગર ખાતે સહારા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ સત્કાર સમારોહમાં માનદ ડોક્ટરેટ પદવી એનાયત કરવામાં આવી હતી.જેમાં અખંડ ભારત રાષ્ટ્રીવાદી સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પ્રવિણસિંહ સિંધાની ગાંધીનગરના જાણીતા સાહિત્યકાર ડો. ગુલાબચંદ પટેલની ઉપસ્થિતિમાં 15થી વધુ વિવિધ ક્ષેત્રોના સેવા કાર્ય સાથે જોડાયેલા વ્યક્તિઓને સેવા રત્ના એવોર્ડ અને માનદ ડોક્ટરેટ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Read the Next Article

ભરૂચ: વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ, માર્ગ અને મકાન વિભાગની 16 ટીમ કામે લાગી

ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના વધુ નુકસાન પામેલ રસ્તાઓની પ્રથમ તબક્કામાં મરામતની 16 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી....

New Update
Roads and Building Department
ભરૂચ જિલ્લામાં ગત દિવસો દરમિયાન થયેલ ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય હસ્તકના રસ્તાઓ ઉપર ખાડા પડવાથી તેમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે રસ્તાઓ ખરાબ થયેલા હતા. વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાઓના દુરસ્તી કામમાં રૂકાવટ આવતી હતી પરંતુ વરસાદના વિરામની સાથે જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આવા રસ્તાઓના મરામતની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે. 

Roads Repair

માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર રોનક શાહના જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના વધુ નુકસાન પામેલ રસ્તાઓની પ્રથમ તબક્કામાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને અંકલેશ્વરથી રાજપીપલા, રાજપારડી થી નેત્રંગ, ઉમલ્લા અશા- પાણેથા, અંકલેશ્વર વાલીયા નેત્રંગ અને સમની વાગરા,પાલેજ ઈખર સરભાણ,વાગરા ગંધાર દેરોલ વગેરે રોડ ઉપર વેટ મિક્સ અને કોન્ક્રીટ મેટલ પેચવર્ક આરએમસી પ્લાન્ટથી શરૂ કરવામાં આવ્યા છે.

Roads Repairs

રસ્તાઓની દૂરસ્તી કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગની ૧૬ ટીમ કાર્યરત કરવામાં આવી છે, જેમાં ૧૮ જેસીબી મશીન, ૧૪ જેટલા રોડ રોલર, ૨ ગ્રેડર ૦૭ ટ્રેક્ટર અને ૩૧ જેટલા ડમ્પર કામે લગાડવામાં આવ્યા છે, આ કામ માટે સુપરવાઇઝર સહિત કુલ ૧૬૩ વ્યક્તિઓની ટીમ રસ્તાઓની દૂરસ્તી માટે કામ કરી રહી છે.
Latest Stories