ભરૂચ : આમોદમાં બ્રહ્માકુમારીઝ દ્વારા બરફના શિવલિંગ દર્શનનું આયોજન, ધારાસભ્ય ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિત
બરફના શિવલિંગને જંબુસર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે રીબીન કાપી દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના આમોદના તિલક મેદાન ખાતે વેરાઈ માતા મંદિરના પટાંગણમાં મહાશિવરાત્રી નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝની બહેનો દ્વારા બરફના શિવલિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના આમોદ ગામ સ્થિત તિલક મેદાન ખાતે વેરાઈ માતા મંદિરના પટાંગણમાં મહાશિવરાત્રી નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા બરફનું શિવલિંગ બનાવવામાં આવતા નગરજનો તેમજ આસપાસના ગ્રામજનોએ દર્શનનો લાભ લીધો હતો.
બરફના શિવલિંગને જંબુસર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે રીબીન કાપી દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરજનો સાથે ધારાસભ્યએ ભગવાન શિવની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો હતો. શિવ અવતરણ દિવસ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. આ સાથે જ નગરજનોને બરફના શિવલિંગના દર્શનનો લાભ લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલ, પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ-કરજણ કેન્દ્રના સંચાલિકા દીપિકા દીદી, આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.