/connect-gujarat/media/post_banners/d491e54fdc2a065e4db61876459750e3ca94ed32df9858b247ff55c5de25761a.jpg)
ભરૂચની નાંદેલાવ ગ્રામપંચાયતની હદમાં આવેલ બુસા સોસાયટી સ્થિત નંદેશ્વર મહાદેવ મંદિરના પુન:નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રવણ માસનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ભક્તો શિવજીની ભક્તિમાં લીન બની ગયા છે. પવિત્ર શ્રાવણ માસમા ભરૂચમાં શિવ મંદિરનુ પુન:નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચની નંદેલાવ ગ્રામપંચાયતની હદમાં આવેલ બુસા સોસાયટીની સામે આવેલ નંદેશ્વર મહાદેવ મંદિર 24 વર્ષથી જીર્ણ થઈ ગયું હતું ત્યારે બુસા યુવક મંડળ દ્વારા મંદિરના જીણોધ્ધારનો સંકલ્પ લેવામાં આવ્યો હતો જે અંતર્ગત આજરોજ મંદિરના પુન:નિર્માણનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેરમેન સંજયસિંહ ચૌહાણ,ધર્મેશ પટેલ તેમજ યુવક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.