Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઓમકારનાથ હોલ ખાતે સહકારી અગ્રણી સ્વ. ચન્દ્રકાંતભાઈ પટેલની શોકસભા યોજાય...

પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લાના સહકારી આગેવાન સ્વ. ચંદ્રકાંતભાઈ પટેલની શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લાના સહકારી આગેવાન સ્વ. ચંદ્રકાંતભાઈ પટેલની શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સહકારી સંસ્થાઓના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

ધી ભરૂચ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ ભરૂચના પૂર્વ ચેરમેન અને વર્તમાન સીનીયર ડીરેકટર, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી. અમદાવાદના ડીરેકટર, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ કોટન ફેડરેશન લી.ના વાઇસ ચેરમેન, ભરૂચ જિલ્લા ખરીદ-વેચાણ સંઘના ડીરેકટર, ભરૂચ જિલ્લા પંચાયત, બાંધકામ અને કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષ, શ્રી ભારેશ્વર મહાદેવ ટ્રસ્ટ, ભાડભૂતના ટ્રસ્ટી, શ્રી ત્રાલસા વિભાગ પાટીદાર સમાજના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી એવા સ્વ. ચંદ્રકાંતભાઈ પટેલનું ગત તા. 19 જુલાઇ 2023ના રોજ દુ:ખદ અવસાન થયું હતું. સ્વર્ગસ્થના માનમાં ભરૂચ ડીસ્ટ્રિક્ટ બેંક દ્વારા પંડિત ઓમકરનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાગરાના ધારાસભ્ય અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અરૂણસિંહ રણા તથા બોર્ડ ઓફ ડીરેકટર્સના સભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, સ્વ. ચંદ્રકાંતભાઈ પટેલના ધર્મપત્ની અને પરિવારજનો સહિત વિવિધ સહકારી સંસ્થાઓના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

Next Story