ભરૂચ : કાવલી-જંબુસર એસટી બસને વાયા ઉબેર ગામ કરાતા જંબુસર એસટી ડેપો ખાતે મુસાફરોનો હોબાળો

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો ખાતે કાવલી-જંબુસર એસટી બસને વાયા ઉબેર ગામ કરાતા મામલો ગરમાયો હતો.

New Update
ભરૂચ : કાવલી-જંબુસર એસટી બસને વાયા ઉબેર ગામ કરાતા જંબુસર એસટી ડેપો ખાતે મુસાફરોનો હોબાળો

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો ખાતે કાવલી-જંબુસર એસટી બસને વાયા ઉબેર ગામ કરાતા મામલો ગરમાયો હતો.

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો ખાતેથી કાવલી અને જંબુસર વચ્ચે દોડતી એસટી બસને ઉબેર ગામ તરફ વાયા દોડાવતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે એસટી બસમાં વધુ પેસેન્જર હોવાના કારણે ઉબેર ગામના ગ્રામજનોએ એસટી બસને રોકી વિરોધ નોંધાવ્યો હતો. બનાવના પગલે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખના પતિ અને કાવલી ગામના આગેવાનો જંબુસર એસટી ડેપો ખાતે દોડી આવ્યા હતા. બસમાં સવાર રહેલા પેસેન્જરોને ઉબેર ગામના પેસેન્જરો મારવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો, ત્યારે વાયા ઉબેર ગામે એસટી બસનો વધારાનો રૂટ રદ્દ કરી ડેપો મેનેજરે મીની બસની જગ્યાએ મોટી બસ ફાળવી આપતા મામલો થાળે પડ્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.