ભરૂચ : ગુજરાત ભાજપ પ્રદેશ સહપ્રવક્તા પ્રેરક શાહની અધ્યક્ષતામાં “પ્રબુદ્ધ નાગરિક સંવાદ” યોજાયો

આગમી લોકસભા ચૂંટણીમાં મોદી સરકારના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

New Update
ભરૂચ : ગુજરાત ભાજપ પ્રદેશ સહપ્રવક્તા પ્રેરક શાહની અધ્યક્ષતામાં “પ્રબુદ્ધ નાગરિક સંવાદ” યોજાયો

વિકસીત ભારત સંકલ્પ પત્ર 2024 અંતર્ગત ભારતીય જનતા પાર્ટી-22 ભરૂચ લોકસભા બેઠક દ્વારા ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત આત્મીય ભવન ખાતે પ્રબુદ્ધ નાગરીક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ સહપ્રવક્તા અને આર્થિક સેલના સંયોજક પ્રેરક શાહે શિક્ષક સેલ, સી.એ. સેલ, ડોકટર સેલ, વેપારી સેલના માધ્યમથી ઉદબોધન કરતા પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરી આગમી લોકસભા ચૂંટણીમાં મોદી સરકારના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરૂચના સાંસદ અને ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, મહામંત્રી નિરલ પટેલ સહિત અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.