ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ-ભૃગુભૂમિ શાખા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો...

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ 'ગુરૂ વંદન છાત્ર અભિનંદન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

New Update
ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ-ભૃગુભૂમિ શાખા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો...

આજરોજ ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ 'ગુરૂ વંદન છાત્ર અભિનંદન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજરોજ ભરૂચના ભોળાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક વિભાગની શાળામાં ગુરુ એવા શાળાના આચાર્ય અને શિક્ષકોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ રહેલું છે તે અંગે વિદ્યાર્થી બાળકોને સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય મેઘના ટંડેલ તેમજ શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories