ભરૂચ : JCI-ભરૂચના 59મા શપથ ગ્રહણ સમારોહમાં નવા પ્રમુખ સહિતના સભ્યોએ શપથ ગ્રહણ કર્યા...

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ ICAI ભવન ખાતે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) ભરૂચ દ્વારા 58મા એવોર્ડ તેમજ 59મા શપથ ગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : JCI-ભરૂચના 59મા શપથ ગ્રહણ સમારોહમાં નવા પ્રમુખ સહિતના સભ્યોએ શપથ ગ્રહણ કર્યા...

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ ICAI ભવન ખાતે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) ભરૂચ દ્વારા 58મા એવોર્ડ તેમજ 59મા શપથ ગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) ભરૂચનો 58મો એવોર્ડ તેમજ 59મો શપથ ગ્રહણ સમારોહ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ ICAI ભવન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ જેસી દિશા ગાંધીએ સ્વાગત પ્રવચનમાં મહેમાનો સહિત તમામ સબયોને આવકાર્યા હતા. સમારંભના મુખ્ય વક્તા તરીકે જેસી દર્શન મરજાદી, મુખ્ય મહેમાન અનીશ પરીખ અને અતિથી વિષેશ તરીકે જેસી કેયુર અસારવાલા, ઇન્ડકશન ઓફિસર પીયુષ પરીખ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

JCIના પૂર્વ પ્રમુખ દ્વારા સમગ્ર વર્ષનો વાર્ષિક અહેવાલ રજૂ કરી વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ સંસ્થાના તમામ સભ્યોને બિરદાવ્યા હતા. આ સાથે જ JCI ભરૂચ વર્ષ 2023ના પ્રમુખ પદ માટે જેસી ઉર્વી શાહને શપથ અપાવ્યા હતા, જેમણે JCI ભરૂચને ખૂબ જ આગળ લઈ જવાની હાકલ કરી હતી. સંસ્થાના માનદ સભ્ય તરીકે આર.કે.નાહતાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન જેસી સમીર ઠક્કરે મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ પ્રસંગે JCIના ભૂતપૂર્વ પ્રમુખો, જેસી મેમ્બરો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.