ભરૂચ: ઝાડેશ્વર નજીકની હોટલ સરોવરને કરવામાં આવી સીલ, બૌડા દ્વારા કરવામાં આવી કાર્યવાહી
ભરૂચના ઝાડેશ્વર હાઇવે પર આવેલી હોટલ સરોવરને પરવાનગી વગર બાંધકામને લઈ બૌડા દ્વારા સીલ કરી દેવાઈ છે.
BY Connect Gujarat18 July 2023 11:29 AM GMT
X
Connect Gujarat18 July 2023 11:29 AM GMT
ભરૂચ નજીક ઝાડેશ્વર હાઇવે પર સ્થિત હોટલ સરોવરે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળની જગ્યા પર બાંધકામ કરી દીધું હતું.બૌડા દ્વારા હોટલ સંચાલકને વખતો વખત નોટિસ આપી દબાણ કરી ગેરકાયદે બાંધકામ દૂર કરવા તાકીદ કરાઈ હતી.
અંતે આજે બૌડા દ્વારા પરવાનગી વગર બાંધકામને લઈ હોટલને સીલ કરી દેવામાં આવી હતી. તંત્રના આ પગલાના કારણે અનઅધિકૃત બાંધકામ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.
Next Story