ભરૂચ :જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો, માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બે કંપનીના સૌજન્યથી જરૂરિયાત મંદ લોકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

New Update
ભરૂચ :જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો, માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

ભરૂચમાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બે કંપનીના સૌજન્યથી જરૂરિયાત મંદ લોકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ભગવાન શનિદેવ મંદિરના આધ્યાત્મિક સભાખંડમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લામાં કાર્યરત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ડેકન ફાઈન કેમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જરૂરિયાત મંદ લોકોને શૈક્ષણિક કીટ પહોંચાડવાનું તેમજ વિદ્યાર્થીઓ પણ શિક્ષણ જગતમાં પોતાના સમાજનું અને શાળાનું નામ રોશન કરે અને શિક્ષણમાં કોઈ કમી ન રહી જાય તે હેતુથી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુકરવાડા ગામના ત્રિગુણાતીત આશ્રમના સંત લોકેશાનંદજી, જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિતીન માને, ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી માને, ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન પટેલ, ભરૂચ નગર પાલિકાના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહિત મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.  

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.