ભરૂચ : નારાયણ વિદ્યા વિહાર ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી

ભરૂચની નારાયણ વિદ્યા વિહાર ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી

New Update
ભરૂચ : નારાયણ વિદ્યા વિહાર ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી

ભરૂચની નારાયણ વિદ્યા વિહાર ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહાનુભવો દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

Advertisment

આજરોજ કારગિલ વિજય દિવસ નિમિત્તે ભરૂચની નારાયણ વિદ્યા વિહાર ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 26મી જુલાઇ 1999માં ભારતીય આર્મીએ ઓપરેશન વિજય ચલાવી પાકિસ્તાની ઘુષણખોરોને કારગિલ શિખર પર હરાવી વિજય પ્રાપ્ત કર્યો હતો. પ્રતિ વર્ષ શાળામાં કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે શાળા સાગર ભારતી, ગુજરાત પ્રાંતના સંયુક્ત ઉપક્રમે 26 જુલાઈએ આ કાર્યક્રમ યોજાયો હતો. શાળામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ કે જેઓ પોલીસ વિભાગમાં સેવા આપી રહ્યા છે તેઓ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે કોવિડ મહામારીના સમયે ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે ડો. કૌશલ પટેલ તથા પટેલ વેલ્ફેર હોસ્પિટલના દર્દીઓને દુર્ઘટના સમયે રક્ષણ કરનાર પોલીસ ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. અને સૌ શહીદોને સ્મરાણજલી અર્પિત કરવામાં આવી હતી.

Advertisment