ભરૂચ: નેત્રંગના કેલ્વીકુવા ગામે દીપડાએ શ્વાનના 2 બચ્ચાનો કર્યો શિકાર, જુઓ CCTV

New Update
ભરૂચ: નેત્રંગના કેલ્વીકુવા ગામે દીપડાએ શ્વાનના 2 બચ્ચાનો કર્યો શિકાર, જુઓ CCTV

ભરૂચ જીલ્લાના વાલીયા-નેત્રંગ અને ઝઘડીયા તાલુકો વન્યપ્રાણીના વસવાટ માટે અભ્યારણ બની જવા પામ્યા છે.અવરનવર દીપડો પાંજરે પુરાવા અને માનવવસ્તી ઉપર જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે.

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના ભાવેશભાઇ રામસિંહ વાંસદીયાનો પેટ્રોલપંપ આવેલ છે. પેટ્રોલપંપ ઉપર શ્વાનના બચ્ચાનો ઉછેર કરવામાં આવ્યો છે.પેટ્રોલપંપની પાછળના ભાગે ખેતરાડી વિસ્તાર હોવાથી રાત્રીના અઢી વાગ્યાની આસપાસ દીપડો પોતાના ખોરાકની શોધમાં પેટ્રોલપંપની આઠ ઉંચી દિવાલ કુદીને શ્વાનના બચ્ચાનો શિકાર કરવાનો પ્રયાસ કયૉ હતો.પરંતુ ભારો ઘોંઘાટ થતાં અને પેટ્રોલપંપના કમઁચારીઓ જાગી જતાં દીપડો ફરાર થઇ ગયો હતો.ત્યારબાદ કેલ્વીકુવા ગામમાં જ રહેતા ઇન્દ્રજીતસિંહ મુરજીબાવા સુરતીયાના ઘરે પાળેલા બે શ્વાનના બચ્ચાનો દીપડા એ શિકાર બનાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.નેત્રંગ વનવિભાગ બનાવની ગંભરીતા જાણી દીપડાને પાંજરે પુરવાની કાયઁવાહી કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું આયોજન કરાયું, મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઝોનલ બાળ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અનુયાયીઓ ઉમટ્યા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સંત નિરંકારી મિશન દ્વારા આયોજન

  • ઝોનલ બાળ સમાગમ યોજાયું

  • બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

  • મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઝોનલ બાળ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અનુયાયીઓ ઉમટ્યા હતા
ભરૂચ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાગમમાં ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, બીલ, રાજપીપળા અને વલ્લભ વિદ્યાનગરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે મુંબઈથી પધારેલા સંત પ્રવીણ છાબડાજીના હસ્તે બાલ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રદર્શનમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા મોડેલ્સ અને ચિત્રકળા પ્રદર્શિત કરવામાં આવી હતી.બાળ સમાગમ અંતર્ગત બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.આ સમાગમને સફળ બનાવવા માટે ભરૂચ ઝોનના સેવાદળના સ્વયંસેવકો અને નિરંકારી મિશનના અધિકારીઓએ અવિરત મહેનત કરી હતી.