Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શ્રવણ વિદ્યાધામમાં RO પ્લાન્ટનું લોકાર્પણ કરાયું...

શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે 15માં નાણાપંચ 2020-21 જિલ્લા વિકાસ યોજના કાર્યક્રમ અંતર્ગત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે RO પ્લાન્ટ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરના લિન્ક રોડ સ્થિત શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે 15માં નાણાપંચ 2020-21 જિલ્લા વિકાસ યોજના કાર્યક્રમ અંતર્ગત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે RO પ્લાન્ટ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

15માં નાણાપંચ 2020-21 જિલ્લા વિકાસ યોજના કાર્યક્રમ અંતર્ગત ભરૂચ શહેરના લિન્ક રોડ પર આવેલ શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે RO પ્લાન્ટ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી વૈભવ બિનીવાલે તથા શાળાના આચાર્ય સુનિલ ઉપાધ્યાય દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ તથા મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીની દ્રષ્ટિ પરમારે 'જળ એ જ જીવન' વિષય પર સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવા સાથે જળ શપથ લેવડાવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય ભૂમિકા પટેલ, નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મી ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story