ભરૂચ : ઉત્તરાયણ પર્વે થતાં અકસ્માતોને નિવારવા પાલિકાનો નવતર અભિગમ, 12 રૂટ પર શરૂ કરી મફત સિટી બસ સેવા...

New Update
ભરૂચ : ઉત્તરાયણ પર્વે થતાં અકસ્માતોને નિવારવા પાલિકાનો નવતર અભિગમ, 12 રૂટ પર શરૂ કરી મફત સિટી બસ સેવા...

ઉત્તરાયણ પર્વે પાલિકા દ્વારા લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય

ઉત્તરાયણ પર્વે થતાં અકસ્માતોને નિવારવા નવતર અભિગમ

અલગ અલગ 12 રૂટ ઉપર શરૂ કરાય મફત સિટી બસ સેવા

હવે, કાતીલ દોરીથી થતાં અકસ્માતો ઘટશે : પાલિકા પ્રમુખ

લોકોને મફત મુસાફરીનો લાભ લેવા પાલિકા પ્રમુખની અપીલ

ઉત્તરાયણના તહેવારમાં કાતીલ દોરીથી અનેક અકસ્માતો સર્જાય છે, અને કેટલાય લોકો પોતાનો જીવ ખોઈ બેસે છે. તેવામાં ઉત્તરાયણના તહેવારમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે. આ દરમિયાન રક્ષાબંધન પર્વે બહેનોને ભરૂચ સિટી બસ સેવાની મફત મુસાફરીની ભેટ આપવામાં આવી હતી. જેના કારણે મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો. જેનો હજારોની સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો, ત્યારે હવે ઉત્તરાયણ પર્વે તા. 14 જાન્યુઆરીએ સવારથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં લોકો માટે મફત મુસાફરી કરવાની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે. જેનો મોટી સંખ્યામાં નગરજનો તેમજ બહાર ગામથી આવતા લોકો લાભ લે તે માટે ભરૂચ નગરપાલિકા પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર : ઉદ્યોગ મંડળના પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં 86.63 ટકા નોંધાયું મતદાન,20 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં બંધ

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટી માટેની ચૂંટણી ઉત્તેજનાસભર માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.આ ચૂંટણીમાં 86.63 ટકા મતદાન નોંધાયું હતું.

New Update
  • AIAની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન

  • 1057 મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

  • 86.63 ટકા નોંધાઈ મતદાનની ટકાવારી

  • ઉમેદવારોના ભાવિ થયા મતપેટીમાં સીલ

  • સહયોગ કે વિકાસ રાતે આવશે પરિણામ  

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટી માટેની ચૂંટણી ઉત્તેજનાસભર માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.આ ચૂંટણીમાં 86.63 ટકા મતદાન નોંધાયું હતું.સહયોગ અને વિકાસ પેનેલના ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા.

અંકલેશ્વરના ઉદ્યોગનગરના માળખાની દેખરેખ રાખતા ઉદ્યોગ મંડળનો ચૂંટણીનો જંગ તારીખ 20મી જૂન શુક્રવારના રોજ બપોરના ત્રણ કલાકે સંપન્ન થયો હતો.આ ચૂંટણીમાં કોર્પોરેટ,રિઝર્વ અને જનરલ કેટેગરી માટે ચૂંટણીમાં મતદારોએ મતદાન કર્યું હતું.AIA ચૂંટણીમાં કુલ 1229 મતદારો નોંધાયા છે,જેમાંથી 1057 મતદારોએ મતાધિકારનો ઉપયોગ સાથે 86.63 ટકા મતદાન નોંધાયું હતું.અને ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા હતા.

આજરોજ સાંજના 4 કલાક બાદ મત ગણતરીની શરૂઆત કરવામાં આવશે,અને મધ્યરાત્રિ સુધીમાં ચૂંટણીમાં કઈ પેનલનો સંઘ કાશીએ પહોંચશે તે સ્પષ્ટ થઇ જશે.

ઉદ્યોગ મંડળમાં સત્તારૂઢ સહયોગની સામે વિકાસ પેનલનો મુકાબલો રસપ્રદ બની રહેશે. કોર્પોરેટની એક બેઠક માટે 2 , રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે 2 અને જનરલની 8 બેઠક પર 16 ઉમેદવાર મેદાનમાં છે. સત્તા મેળવવા માટે 15 બેઠક જરૂરી છે.

AIA સંકુલ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી.હવે જોવાનું એ રહ્યું કે સત્તારૂઢ સહયોગ પેનલને ઉમેદવારોનો સહયોગ મળશે કે વિકાસ પેનલના મજબૂત દાવેદારી પર મતદારો પસંદગીનો કળશ ધોળે છે.