Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ભારત બંધના એલાનને કોઈ પ્રતિસાદ નહીં, ખેડૂત આગેવાનોને કરાયા નજર કેદ

આજરોજ વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જો કે આ બંધના એલાનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો

X

આજરોજ વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જો કે આ બંધના એલાનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો

દેશના વિવિધ રાજ્યોના ખેડૂત સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને વિવિધ રાજ્યોમાં આંદોલન કરવામાં આવ્યું હતું પરંતુ આ આંદોલનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો. ભરૂચ જિલ્લામાં ખેડૂત આગેવાન સંદીપ માંગરોળા મહેન્દ્રસિંહ કરમરીયા સહિતના આગેવાનો દ્વારા ભારતબંધના એલાનને સફળ બનાવવા માટે આહવાહન કરવામાં આવ્યું હતું. પરંતુ આ તમામ આગેવાનોને પોલીસ દ્વારા નજર કેદ કરી દેવામાં આવ્યા હતા.આજે સવારે અંકલેશ્વરની વાલીયા ચોકડી ખાતે ચક્કાજામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા આ કાર્યક્રમ થઈ શક્યો ન હતો આ તરફ ભરૂચ સહિત વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જેના પગલે ભારત બંધના એલાનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો

Next Story