ભરૂચ : દિવાળી પર્વે જરૂરિયાતમંદોના જીવનમાં ભાજપે પાથર્યું અજવાળું, કર્યું હેપ્પીનેસ કીટનું વિતરણ...

પ્રકાશના પર્વ થકી જરૂરીયાતમંદ બાળકોમાં પ્રકાશ પાથરવાનો પ્રયાસ કરવાના હેતુથી ભારતીય જનતા પાર્ટી દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.

New Update
ભરૂચ : દિવાળી પર્વે જરૂરિયાતમંદોના જીવનમાં ભાજપે પાથર્યું અજવાળું, કર્યું હેપ્પીનેસ કીટનું વિતરણ...

પ્રકાશના પર્વ થકી જરૂરીયાતમંદ બાળકોના જીવનમાં પ્રકાશ પાથરવાના શુભ આશયથી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને યુવા ભાજપ દ્વારા ભરૂચ પાલિકા વિસ્તારના અયોધ્યા નગરની સેવા વસ્તીમાં હેપ્પીનેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


દિવાળીને પ્રકાશરૂપી પર્વ માનવામાં આવે છે. પ્રકાશના પર્વ થકી જરૂરીયાતમંદ બાળકોમાં પ્રકાશ પાથરવાનો પ્રયાસ કરવાના હેતુથી ભારતીય જનતા પાર્ટી દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં ભારતીય જનતા પાર્ટી અને યુવા ભાજપ આગળ આવ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા અને યુવા ભાજપ ભરૂચ જીલ્લાના પ્રમુખ ઋષભ પટેલની પ્રેરણાથી ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 4ના અયોધ્યા નગરની સેવા વસ્તીમાં રહેતા જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા, મીઠાઈ, બિસ્કીટ અને ફરસાણ સહિતની ઉપયોગી ચીજવસ્તુઓને હેપ્પીનેસ કીટ થકી તૈયાર કરી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું. માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંદેશ સાથે દિવાળીના સમયે જરૂરિયાતમંદ લોકોના ઘરમાં અજવાળું પથરાય અને આવનારું વર્ષ પણ સુખમય સમૃદ્ધમય રહે તેવા હેતુથી જીવન જરૂરી સામગ્રીઓનું કીટનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી. આ પ્રસંગે ભરૂચ જીલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ અને વિનોદ પટેલ, જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ અમિત ચાવડા, યુવા મોરચાના દક્ષ પંડ્યા, ભાવેશ મિસ્ત્રી, હેમદીપ પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સહિતના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.