Connect Gujarat
ભરૂચ

ભરૂચ:ઝઘડીયાના અવિધામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન,કેન્દ્રિય મંત્રી ડૉ ભાગવત કરાડ ઉપસ્થિત

વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં રથમાં સરકારની યોજનાના દર્શાવતી ટુંકી ફિલ્મ પણ મહાનુભાવોએ નિહાળી

X

ભરૂચના ઝઘડીયાના અવિધા ગામમાં કરાયુ આયોજન

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન

કેન્દ્રિય મંત્રી ડૉ ભાગવત કરાડ રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના અવિધા ખાતે ભારત સરકારના નાણાં વિભાગના રાજ્ય મંત્રી ડૉ ભાગવત કરાડના અધ્યક્ષપદે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી ભરૂચના ઝઘડિયા તાલુકાના અવિધા ગામની પ્રાથમિક શાળા ખાતે ભારત સરકારના નાણાં વિભાગના રાજ્ય મંત્રી ડૉ ભાગવત કરાડના અધ્યક્ષપદે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી.

આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લાની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ કેળવવા માટે પ્રદર્શન સ્ટોલની તેઓએ મુલાકાત લીધી હતી.વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. વધુમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં રથમાં સરકારની યોજનાના દર્શાવતી ટુંકી ફિલ્મ પણ મહાનુભાવોએ નિહાળી હતી.

આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા,ભરુચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા,કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી,નિવાસી અધિક કલેકટર એન આર ધાંધલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Next Story