Connect Gujarat
ભરૂચ

ભરૂચ:જૈન આચાર્ય ગચ્છાધિપતિ આચાર્ય રાજશય સુરીશ્વરજી મહારાજની પધરામણી

જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે ભરૂચના શક્તિનાથ ખાતે આવેલા જૈન મંદિરે ભવ્ય શોભાયાત્રા સાથે પધરામણી કરવામાં આવી

X

ભરૂચમાં જૈન આચાર્ય ગચ્છાધિપતિ આચાર્ય રાજશય સુરીશ્વરજી મહારાજની પધરામણી થઈ હતી જે નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં પહેલીવાર ઐતિહાસિક ચાતુર્માસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે શહેરના નવ દેરાસર અને સાત સંઘ આ ચાતુર્માસમાં શક્તિનાથ ખાતે ચાતુર્માસમાં સત્સંગ અનુષ્ઠાન અને પ્રવચન તેમજ ભક્તિ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે આજરોજ ભરૂચના આંગણે જૈનાચાર્ય ગચ્છાધિપતિ આચાર્ય રાજ્યશ સૂરીશ્વરજીની મહારાજનું આગમન થતા જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે ભરૂચના શક્તિનાથ ખાતે આવેલા જૈન મંદિરે ભવ્ય શોભાયાત્રા સાથે પધરામણી કરવામાં આવી હતી આ શોભાયાત્રા ભરૂચ ભૃગુઋષિ બ્રિજથી શક્તિનાથ ખાતે આવેલા જૈન દેરાસર ખાતે કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભક્તો જોડાયા હતા..

Next Story