Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પાવાગઢ જતા પગપાળા સંઘને નડ્યો અકસ્માત, 1 પદયાત્રીનું મોત, 2 ઇજાગ્રસ્ત

ભરૂચ: પાવાગઢ જતા પગપાળા સંઘને નડ્યો અકસ્માત, 1 પદયાત્રીનું મોત, 2 ઇજાગ્રસ્ત
X

ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નીપજ્યું હતું જ્યારે બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અસુરિયા પાટીયા પાસે આજરોજ સવારના સમયે અકસ્માતની ઘટના બની હતી.

નવસારીના ગડત ગામનો 31 લોકોનો સંઘ પાવાગઢ માતાજીના મંદિરે પગપાળા જઈ રહ્યો હતો આ દરમિયાન અસુરીયા પાટીયા નજીક પીકઅપ વાનચાલકે સંઘને અડફેટે લીધો હતો જેમાં 5 જેટલા પદયાત્રીઓને ઇજા પહોંચી હતી. ગંભીર ઇજાના પગલે 39 વર્ષીય પદયાત્રી મેહુલ હળપતિનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય 2 પદયાત્રી મુકેશ હળપતિ અને ભીખુ હળપતિને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

Next Story