ભરૂચ : કલમ 307 હેઠળ કાર્યવાહી કરવા ભાડભૂતના રાઠોડ સમાજનું તંત્રને આવેદન, જાણો સમગ્ર મામલો..!

આરોપીઓ વિરુદ્ધ 307ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી

New Update
ભરૂચ : કલમ 307 હેઠળ કાર્યવાહી કરવા ભાડભૂતના રાઠોડ સમાજનું તંત્રને આવેદન, જાણો સમગ્ર મામલો..!

ભાડભૂતમાં રાઠોડ અને મિસ્ત્રી સમાજના લોકો વચ્ચે વિવાદ

મારામારી થતાં રાઠોડ સમાજના લોકોને પહોચી ગંભીર ઈજા

પોલીસ દ્વારા કલમ 307 નહીં નોંધાતા તંત્રને આપ્યું આવેદન

ભરૂચના ભાડભૂત ગામ ખાતે રાઠોડ સમાજ અને મિસ્ત્રી સમાજના વ્યક્તિઓ વચ્ચે થયેલી મારામારીમાં રાઠોડ સમાજના વ્યક્તિઓને થયેલી ગંભીર ઈજાઓ બાદ પણ આ મામલે પોલીસ દ્વારા 307ની કલમ નહીં નોંધાતા રાઠોડ સમાજ દ્વારા આદિવાસી સમાજના નેજા હેઠળ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાડભૂત ગામે રહેતા રાઠોડ સમાજના લોકોએ સમસ્ત ભરૂચ જીલ્લા આદિવાસી સમાજના નેજા હેઠળ આવેદન પત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, કમલેશ સોમાભાઇ રાઠોડ ભાડભૂત ગામના રાઠોડ ફળીયામાં રહે છે. તેઓના કુંટુંબીજનો ઉપર ભાડભૂત ગામના મિસ્ત્રી તથા માછી સમાજ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કમલેશ રાઠોડને માથામાં પાછળના ભાગે લોખંડનો સળીયો વાગી જતાં તેઓને ગંભીર ઇજા પહોચી હતી. જેથી સામાવાળા લોકો વિરુદ્ધ IPC કલમ 307 દાખલ કરવી જોઇએ.

પરંતુ પોલીસ દ્વારા આ કલમ દાખલ કરવામાં આવી ન હતી, જ્યારે એક સગીર બાળકીને પણ સદર કામના આરોપીઓએ મારમારી દરમ્યાન ફેંકી દીધેલ છતાં પણ આ આરોપીઓ વિરુદ્ધ પોકસોની કલમ પણ દાખલ થઈ ન હોવાનો આક્ષેપ થયો છે, ત્યારે હવે આ મામલે આરોપીઓ વિરુદ્ધ 307ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.

Latest Stories