New Update
ભરૂચ એબીસી ચોકડી થી દહેજ ને જોડતો મુખ્ય માર્ગ હવે અકસ્માત ઝોન બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.આ મુખ્ય માર્ગ પર અવારનવાર અકસ્માતોના બનાવોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ નંદેલાવ બ્રિજ નજીક એક ચાર વર્ષીય માસુમ બાળકીનું બસ અડફેટે મોત નિપજવાની ઘટનાની સાહિ હજુ સુકાય નથી.
ત્યાં બીજું અકસ્માત આજરોજ ભરૂચની મનુબર ચોકડી ખાતે શ્રમજીવી પરિવાર રોડ ક્રોસ કરી રહ્યું હતું તે દરમિયાન શેરપુરાથી દહેજ જતી ખાનગી કંપનીની બસના ચાલકે પરિવારને અડફેટે લીધું હતું જેમાં પાંચ વર્ષે બાળકને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે પિતા અને માતાનો બચાવ થયો હતો આ ઘટનામાં ઈજાગ્રસ્ત બાળકીને સ્થાનિકો દ્વારા રિક્ષામાં તાત્કાલિક નજીકના દવાખાને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી
Latest Stories