Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાલિયાના કોંઢ ગામે બે કાચા મકાનની છત ધરાશાયી, એક જ પરિવારના 4 લોકોને ઇજા

વાલિયાના કોંઢ ગામની નવીનગરીમાં રહેતા ટુનીબેન સુરેશભાઈ વસાવા આજરોજ વહેલી સવારે પોતાની પુત્રી અને તેના બે બાળકો સાથે ઘરમાં ચા-નાસ્તો કરી રહ્યા હતા

X

ભરૂચના વાલિયાના કોંઢ ગામની નવીનગરીમાં વહેલી સવારે અચાનક બે કાચા મકાનોની છત ધરાશાયી થતા એક પરિવારના ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી જયારે પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો

ભરૂચના વાલિયાના કોંઢ ગામની નવીનગરીમાં રહેતા ટુનીબેન સુરેશભાઈ વસાવા આજરોજ વહેલી સવારે પોતાની પુત્રી અને તેના બે બાળકો સાથે ઘરમાં ચા-નાસ્તો કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક છત ધરાશાયી થઇ તૂટી પડતા બંને મકાનમાં રહેલ ૯ લોકો દબાઈ ગયા હતા આ ઘટનામાં ૩૨ વર્ષીય પ્રકાશ વસાવા,તુલસીબેન વસાવા,નિમિષાબેન વસાવા અને અશ્વિન વસાવા દબાઈ જતા તેઓને ઈજાઓ પહોંચી હતી ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં અશ્વિન વસાવાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં ટુનીબેન સુરેશભાઈ વસાવા સહીત તેની પુત્રી અને તેના બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

Next Story