ભરૂચ: શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનનો 8માં વર્ષમાં મંગળ પ્રવેશ; ગૌ પૂજા કરી ઉજવણી કરવામાં આવી

શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનનો આઠમા વર્ષમાં પ્રવેશ, ભૂદેવો દ્વારા ગાય માતાની પૂજા કરી ઉજવણી કરાઇ.

New Update
ભરૂચ: શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનનો 8માં વર્ષમાં મંગળ પ્રવેશ; ગૌ પૂજા કરી ઉજવણી કરવામાં આવી

ભરૂચ ખાતે શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનને સાત વર્ષ પૂર્ણ કરી આઠમા વર્ષમાં પ્રવેશ કરતાં ભૂદેવો દ્વારા ગાય માતાની પૂજા કરી ઉજવણી કરવામાં આવી હતી.

ધર્મમાં ગૌપૂજાનું ઘણું મહત્વ છે, તેમાં પણ શ્રાવણ માસમાં ગૌ પૂજાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે, સાથે પવિત્ર શ્રાવણ માસમાં ભરૂચ ખાતે શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન તેના સફળતાનાં સાત વર્ષ પૂર્ણ કરી આઠમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે તે નિમિતે આજરોજ તારીખ 15મી ઓગષ્ટને રવિવારના રોજ જે. બી. મોદી પાર્ક પાસે આવેલ પાંજરાપોળ ખાતે ગૌ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજમાં એકતા અને સમાજના ઉત્થાન માટે શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન છેલ્લા 7 વર્ષથી ભરૂચમાં કાર્યરત છે. આજરોજ સંગઠન દ્વારા ગૌ પૂજા અને ભગવાન પરશુરામજીની પૂજા કરી ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠનના સ્થાપક ફાઉન્ડર હરેશ પુરોહિત, ચિરાગભટ્ટ, પૂર્વ પ્રમુખ અમરીશ દવે સહિત બ્રહ્મ અગ્રણી જ્યેન્દ્ર ભટ્ટ, કિરણ જોશી, નવીન પંડ્યા સહીત સભ્યો હાજર રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: 9 કેન્દ્ર પર આજે ધો-10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ, 5 હજાર વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા

ભરૂચમાં 19 પરીક્ષા કેન્દ્ર પર આજથી ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં આજે ધોરણ-10નું પ્રથમ ભાષાનું જ્યારે 12 વિજ્ઞાન પ્રવાહનું ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું આંકડાશાસ્ત્ર, ભૂગોળની પરીક્ષા લેવાય હતી.

New Update
  • ભરૂચમાં પરીક્ષાનો પ્રારંભ

  • પૂરક પરીક્ષાનો થયો પ્રારંભ

  • ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ

  • 5 હજાર પરિક્ષાર્થીઓ નોંધાયા

  • શાંતિપૂર્ણ માહોલમાં યોજાય પરીક્ષા

સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે.
ભરૂચમાં 19 પરીક્ષા કેન્દ્ર પર આજથી ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં આજે ધોરણ-10નું પ્રથમ ભાષાનું જ્યારે 12 વિજ્ઞાન પ્રવાહનું ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું આંકડાશાસ્ત્ર, ભૂગોળની પરીક્ષા લેવાય હતી. ભરૂચ જિલ્લામાંથી ધોરણ-10 ના 2640 વિદ્યાર્થીઓ 12  સામાન્ય પ્રવાહમાં 1290 વિદ્યાર્થીઓ અને 12 વિજ્ઞાન પ્રવાહમાં 910 પરીક્ષાથીઓ પૂરક પરીક્ષા આપી રહ્યા છે.ઉલેખનીય છે કે, જે વિદ્યાર્થીઓના પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા હતા. તે વિદ્યાર્થીઓને પરિણામ વધુ લાવવામાં માટે એક તક મળી છે.