ભરૂચ : પતંગ બનાવતા પતંગવાલા પેઢીની સફર પૂર્ણતાના આરે, શું નવી પેઢીને વ્યવસાયમાં રસ નથી..!

ભરૂચમાં પતંગ બનાવતો એક માત્ર પતંગવાલા પરિવાર છે. તેઓ ઉત્તરાયણના બે મહિના પહેલા હાથ બનાવટની અવનવી પતંગ બનાવી બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે

New Update
ભરૂચ : પતંગ બનાવતા પતંગવાલા પેઢીની સફર પૂર્ણતાના આરે, શું નવી પેઢીને વ્યવસાયમાં રસ નથી..!

ભરૂચમાં પતંગ બનાવતો એક માત્ર પતંગવાલા પરિવાર છે. તેઓ ઉત્તરાયણના બે મહિના પહેલા હાથ બનાવટની અવનવી પતંગ બનાવી બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે, તેમના બાદ પેઢીના કોઈને પણ પતંગ બનાવવા માટે રસ ન હોય, ત્યારે આ વ્યવસાયનું ભવિષ્ય પુર્ણતાને આરે છે.

ભરૂચમાં 19મી સદીમાં ઘોડાગાડીમાં શરૂ થયેલી પતંગવાલા પેઢીની સફર આજે આધુનિક યુગમાં તેમની નવી પેઢીને વ્યવસાયમાં રસ ન હોવાથી પૂર્ણતાના આરે છે. ઉત્તરાયણ પર્વને લઈ ભરૂચ જિલ્લાના પતંગ રસિયાઓ સુસજ્જ થઈ ગયા છે, ત્યારે બજારમાં પતંગ, દોરા, ફીરકી સહિતની ચીજવસ્તુઓની ખરીદી ખીલી રહી છે. પ્રાચીન નગરી ભરૂચમાં પતંગનો ઇતિહાસ પણ રોચક રહ્યો છે. શહેરની મોટી બજારમાં આવેલા ઘોષવાડમાં રહેતા ગુલામ મહંમદ શેખનો પરિવાર પતંગવાલા તરીકે જ પ્રખ્યાત છે. તેમનો પતંગ બનાવવાનો પેઢીગત વ્યવસાય 19મી સદી એટલે કે, 200 વર્ષ જૂનો છે. જોકે, હાલ મોઘવારીના આ જમાનામાં તમામ ચીજવસ્તુઓ મોંઘી બનતા પતંગવાલા પરિવાર વેચવા જેટલી જ પતંગો બનાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. હાથ બનાવટથી બનતી પતંગોનો તમામ સમાન હાલમાં અમદાવાદથી લાવવામાં આવે છે. શેખ પરિવારના સભ્યો 2 મહિના પહેલા જ પતંગ બનાવવાનું શરૂ કરી દે છે. જોકે, આજે તેમની નવી પેઢીને આ વંશ પરંપરાગત વ્યવસાયમાં વધુ મહેનત હોવાથી રસ રહ્યો નથી. તો બીજી તરફ, પતંગ બનાવવાના કાચા સામાનમાં ચાર ગણો વધારો થયો છે. હાલ તો બધું જ રેડીમેડ મળી રહે છે, પણ જ્યારે 19મી સદીમાં વાસ શોધી લાવી આ પરિવારના વડવા જાતે કમાન બનાવતા હતા, ત્યારે ઉત્તરાયણ પહેલા દર અઠવાડિયે ભરૂચનો પતંગવાલા પરિવાર 40 હજાર પતંગ બનાવી ઘોડાગાડીમાં વડોદરા મોકલતો હતો. આજે તેઓ નખના આકારથી લઈ વિરાટ કદની પતંગો પોતાના હાથે બનાવે છે. જે પતંગબાજી સાથે સુશોભન અને હિંડોળા સહિતના ઉપયોગમાં પણ લેવામાં આવે છે.

Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
Latest Stories