ભરૂચ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝઘડીયા-ખડોલી ગામે વિજય સંકલ્પ સભા ગજવી, કોંગ્રેસ-AAP પર કર્યા શાબ્દિક પ્રહારો

7મેંના રોજ મતદાન યોજાવાનું છે. તેવામાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે

New Update
ભરૂચ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝઘડીયા-ખડોલી ગામે વિજય સંકલ્પ સભા ગજવી, કોંગ્રેસ-AAP પર કર્યા શાબ્દિક પ્રહારો

ભરૂચ લોકસભા-ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા

મનસુખ વસાવાના સમર્થનમાં યોજાય વિશાળ સભા

ઝઘડીયાના ખડોલી ગામે યોજાય વિજય સંકલ્પ સભા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહ્યા વિશેષ ઉપસ્થિત

કોંગ્રેસ અને AAP પર અમિત શાહે કર્યા શાબ્દિક પ્રહારો

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં ઝઘડીયા તાલુકાના રાજપરડીના ખડોલી ગામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો પર આગામી તા. 7મેંના રોજ મતદાન યોજાવાનું છે. તેવામાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન સંભાળી છે. સવારે જામકંડોરણમાં જાહેર સભાને સંબોધ્યા બાદ બીજી સભા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભરૂચ જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. ઝઘડીયા તાલુકાના રાજપરડીના ખડોલી ગામમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખડોલીમાં કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેર સભાના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિશાળ જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી. તેઓએ મંચ પરથી કહ્યું હતું કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું કોંગ્રેસને આમંત્રણ આપ્યું પણ એમને વોટબેંકની બીક લાગે એટલે ગયા જ નહીં. આ સાથે જ કોંગ્રેસવાળા 70 વર્ષથી 370ની કલમને દત્તક છોકરાની જેમ ખોળામાં રમાડતા હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જૂઠાણા ફેલાવે છે.

કોંગ્રેસ અને આપ ભેગા થઈને લડવા નીકળ્યા છે. મને કહેતા કોઈ સંકોચ નથી કે, કોંગ્રેસ આદિવાસી વિરોધી પાર્ટી છે, અને આમ આદમી પાર્ટી આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવા વાળી પાર્ટી છે. તો બીજી તરફ, અમિત શાહે જણાવ્યુ હતું કે, હું મોદીની ગેરંટી કહેવા આવ્યો છું. 70 વર્ષથી ઉપરના દરેક નાગરિકને કે જે, રોડપતિ હોય કે કરોડપતિ હોય દરેકનો દવાનો ખર્ચ નરેન્દ્ર મોદીએ માફ કરવાની જાહેરાત કરી દીધી છે. વધુમાં અમિત શાહે કહ્યું હતું કે, મનસુખ વસાવા જેવો જનપ્રતિનિધિ નહીં મળે.

ગરબડ કરશો તો અર્બન નકસલ આવીને આદિવાસી વિસ્તારને તહસનહસ કરી નાખશે, ભૂલ ન કરતા એ કહેવા જ હું ભરૂચ આવ્યો છું. ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને જંગી બહુમતી સાથે જિતાડવા અમિત શાહે લોકોને અપીલ કરી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.