ભરૂચ: મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે,આયોજન માટે DDO પી.આર.જોશીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાય

મતદાન પ્રોત્સાહનના કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે વિશેષ કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવશે.

New Update
ભરૂચ: મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે,આયોજન માટે DDO પી.આર.જોશીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાય

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને સમગ્ર ભરૂચ જિલ્લામાં મહત્તમ મતદારો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સમગ્ર ભરૂચ જિલ્લામાં તા.૨૨/૪/૨૦૨૪ થી ૬/૫/૨૦૨૪ દરમિયાન યોજાનારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો વિષે ચર્ચા કરવામાં આવી હતી.

તા.૭ મી મે એ રાજ્યસહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં યોજાનારી ચૂંટણીમાં નવા મતદારો, યુવાઓ, વૃદ્ધોને મહિલાઓ સહિત દરેક વયના લોકો વધુમાં વધુ ભાગીદારી નોંધાવે એ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિની સઘન પ્રવૃતિઓ કરીને નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

તા.૨૨ એપ્રિલથી ૬ મે સુધીના મહત્વપૂર્ણ ૧૫ દિવસમાં મતદાન પ્રોત્સાહનના કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે વિશેષ કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવશે. આ બેઠકમાં, પોસ્ટલ બેલેટ નોડલ અધિકારી અને ડી.આર.ડી.એ ડાયરેક્ટર નૈતિકા એચ. પટેલ, જીલ્લા સ્વીપ નોડલ અધિકારી અને ડી. ઈ. ઓ. સ્વાતીબા રાઓલ, ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન હેઠળના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: આમોદ ખાતે ભાજપ દ્વારા મોદી સરકારના 11 વર્ષની કરાય ઉજવણી, આગેવાનો કાર્યકરો જોડાયા

વિકસિત ભારતનો અમૃતકાળ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે આગેવાનો-કાર્યકરો જોડાયા

New Update
  • ભરૂચના આમોદમાં કરાયુ આયોજન

  • ભાજપ દ્વારા આયોજન કરાયુ

  • મોદી સરકારના 11 વર્ષની ઉજવણી

  • સરકારની સિદ્ધિઓ વર્ણવામાં આવી

ભરૂચના આમોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુસાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. 
વિકસિત ભારતનો અમૃતકાળ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષની સફળતાને ઉજાગર કરતો વિકસિત ભારતનો અમૃત કાળ અંતર્ગત આમોદ ખાતેના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જંબુસર -આમોદના ધારાસભ્ય દેવ કિશોર સ્વામી, જિલ્લા ભાજપના મહામંત્રી ફતેસિંહ ગોહિલ, જિલ્લા ઉપપ્રમુખ પ્રતીક્ષાબહેન, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આ કાર્યક્રમમાં મોદી સરકારની 11 વર્ષની વિવિધ યોજનાઓને સિદ્ધિઓની માહિતી આપવામાં આવી હતી.